Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈગરાઓ માટે મોટા સમાચાર ; 5 વર્ષમાં પહેલીવાર, વરસાદ સંબંધિત રોગથી કોઈનું મૃત્યુ નથી થયું….

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

05 ઓગસ્ટ 2020

સામાન્ય રીતે જુલાઈમાં ચોમાસા દરમિયાન થતાં લેપ્ટોસ્પાઇરોસિસ જેવા કેસોથી આ વર્ષે એક પણ મૃત્યુ નો કેસ નોંધાયો નથી. છેલ્લાં પાંચ વર્ષમાં બીએમસી ના ચોપડે નોંધાયેલી આ સૌથી મોટી ઘટના છે. જુલાઈ 2019 માં ચોમાસામાં કુલ 74 કેસો પાણીજન્ય રોગોથી નોંધાયા હતા. જેમાં પાંચનાં મોત થયાં હતાં. જુલાઈ 2018 માં, 101 કેસ અને છ મોત થયા હતા, જ્યારે 2017 માં 59 કેસ અને ત્રણ મૃત્યુ થયા હતા.

 મનપાના એક અધિકારીના જણાવ્યાં મુજબ વરસાદના પાણીથી બેક્ટેરિયાનું સંક્રમણનો ઉભું થાય છે. પરંતુ આ વર્ષે કોરોનાની બીમારીને કારણે મોટા ભાગના લોકો ઘરે જ છે, અને આરોગ્યની પૂરતી કાળજી લઈ રહયાં છે. શહેરના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાના કિસ્સાઓ નોંધાયા જરૂર છે. પરંતુ હજી સુધી પાણીજન્ય મોત થયાનું નોંધાયું નથી."

બીએમસીએ જૂન-જુલાઈમાં મેલેરિયાના કેસોમાં વધારો થયા પછી સાર્વજનિક સ્થળોએ સાફ સફાઈ પાર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. મનપાએ આપેલી માહિતી મુજબ જૂન મહિનામાં મેલેરિયાના પણ 328 કેસ નોંધાયા હતા. પરંતુ હવે મેલેરિયા પણ કાબુમાં આવી ગયો છે. સારવાર કરી સ્વસ્થ થઈને ગયા છે.” એક જાણીતી હોસ્પિટલ ના નિષ્ણાત ના મતે આ વર્ષે ગેસ્ટ્રોએન્ટેરિટિસના કેસોમાં બહુ મોટા પાયે ઘટાડો થયો છે કારણ કે લોકો મોટાભાગે ઘરનું જ ભોજન અને પાણી લઈ રહ્યા છે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version