Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈગરાઓ માટે મોટા સમાચાર ; 5 વર્ષમાં પહેલીવાર, વરસાદ સંબંધિત રોગથી કોઈનું મૃત્યુ નથી થયું….

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

05 ઓગસ્ટ 2020

સામાન્ય રીતે જુલાઈમાં ચોમાસા દરમિયાન થતાં લેપ્ટોસ્પાઇરોસિસ જેવા કેસોથી આ વર્ષે એક પણ મૃત્યુ નો કેસ નોંધાયો નથી. છેલ્લાં પાંચ વર્ષમાં બીએમસી ના ચોપડે નોંધાયેલી આ સૌથી મોટી ઘટના છે. જુલાઈ 2019 માં ચોમાસામાં કુલ 74 કેસો પાણીજન્ય રોગોથી નોંધાયા હતા. જેમાં પાંચનાં મોત થયાં હતાં. જુલાઈ 2018 માં, 101 કેસ અને છ મોત થયા હતા, જ્યારે 2017 માં 59 કેસ અને ત્રણ મૃત્યુ થયા હતા.

 મનપાના એક અધિકારીના જણાવ્યાં મુજબ વરસાદના પાણીથી બેક્ટેરિયાનું સંક્રમણનો ઉભું થાય છે. પરંતુ આ વર્ષે કોરોનાની બીમારીને કારણે મોટા ભાગના લોકો ઘરે જ છે, અને આરોગ્યની પૂરતી કાળજી લઈ રહયાં છે. શહેરના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાના કિસ્સાઓ નોંધાયા જરૂર છે. પરંતુ હજી સુધી પાણીજન્ય મોત થયાનું નોંધાયું નથી."

બીએમસીએ જૂન-જુલાઈમાં મેલેરિયાના કેસોમાં વધારો થયા પછી સાર્વજનિક સ્થળોએ સાફ સફાઈ પાર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. મનપાએ આપેલી માહિતી મુજબ જૂન મહિનામાં મેલેરિયાના પણ 328 કેસ નોંધાયા હતા. પરંતુ હવે મેલેરિયા પણ કાબુમાં આવી ગયો છે. સારવાર કરી સ્વસ્થ થઈને ગયા છે.” એક જાણીતી હોસ્પિટલ ના નિષ્ણાત ના મતે આ વર્ષે ગેસ્ટ્રોએન્ટેરિટિસના કેસોમાં બહુ મોટા પાયે ઘટાડો થયો છે કારણ કે લોકો મોટાભાગે ઘરનું જ ભોજન અને પાણી લઈ રહ્યા છે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version