ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 માર્ચ 2021
મહારાષ્ટ્ર ના મરાઠા સમુદાયને આરક્ષણ ની જરૂર છે. આવી માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.આ અરજીના જવાબમાં સુપ્રીમ કોર્ટે આરક્ષણની માંગણી કરનાર તમામ લોકોના શાબ્દિક રીતે ઝૂડી નાખ્યા. સુપ્રીમ કોર્ટે જે પ્રશ્ન પૂછ્યા તે નીચે મુજબ છે.
૧. આરક્ષણનો આધાર ૧૯૩૧માં નક્કી કરવામાં આવ્યો હતો. તો પછી હજી તે આધાર કેમ?
૨. હજી કેટલી પેઢી સુધી તમે આરક્ષણ ચાલુ રાખશો?
૩. જે લોકો આરક્ષણનો લાભ લઈને વંચિત સમુદાય માંથી ઉપર આવી ગયા છે તેમને તમે શા માટે આરક્ષણ થી દુર નથી કરતા?
૪. જ્યારે આરક્ષણ નક્કી કરવામાં આવ્યું હતું ત્યાર પછી હાલ ની આબાદી બમણી થઈ ગઈ છે. તો પરિમાણ બદલાઈ ગયા છે.
૫. શું એકેય રાજ્યમાં કલ્યાણકારી યોજનાઓ નથી?
૬. જો 50 ટકાથી વધુ આરક્ષણ આપવામાં આવે તો તેને કારણે ઉભી થનાર આડ અસર માટે જવાબદાર કોણ?
આમ સુપ્રીમ કોર્ટે એવા અનેક સવાલો પૂછ્યા હતા જેને કારણે યાચિકા કર્તાઓના પગ થથરી ગયા હતા.
