Site icon

ભાજપે આ રાજ્યમાં ખેલ પાડ્યો… દિગ્ગજ નેતા અને પૂર્વ CMએ ધારણ કર્યો ભગવો, કોંગ્રેસ પર સાધ્યું નિશાન…

Former Andhra Pradesh CM Kiran Kumar Reddy joins BJP, slams Congress leadership

ભાજપે આ રાજ્યમાં ખેલ પાડ્યો... દિગ્ગજ નેતા અને પૂર્વ CMએ ધારણ કર્યો ભગવો, કોંગ્રેસ પર સાધ્યું નિશાન...

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસને સતત બે દિવસમાં બે મોટા ઝટકા લાગ્યા છે. કેરળના પૂર્વ મુખ્યમંત્રી એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટની 6 એપ્રિલે ભાજપના સ્થાપના દિવસના દિવસે ભાજપમાં જોડાયા હતા. ત્યારે તેના બીજા જ દિવસે એટલે કે 7 એપ્રિલે આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કિરણ રેડ્ડી ભાજપમાં જોડાયા. દક્ષિણની રાજનીતિમાં પોતાના પગ ફેલાવવાની તૈયારી કરી રહેલા ભાજપ માટે આ એક મોટી સફળતા છે. કિરણ રેડ્ડીએ 12 માર્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. ત્યારથી કિરણ રેડ્ડી ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તેલંગાણા પ્રવાસના એક દિવસ પહેલા જ કિરણ કુમાર રેડ્ડી બીજેપીમાં સામેલ થવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.

Join Our WhatsApp Community

ભાજપમાં જોડાતા સમયે કિરણ કુમાર રેડ્ડીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસની વર્તમાન નેતાગીરી એ સમજી શકતી નથી કે કયા નેતાને કયા સ્તરે કઇ જવાબદારી સોંપવી જોઇએ. જેના કારણે પાર્ટીના અનેક નેતાઓમાં ઘેરો અસંતોષ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે તેમનો પરિવાર ઘણા દાયકાઓથી કોંગ્રેસને સમર્પિત છે, પરંતુ તેમના જેવા નેતાઓની અવગણનાને કારણે પાર્ટી સતત નબળી પડી રહી છે.

તેમણે કહ્યું કે, કોંગ્રેસનું ભવિષ્ય એ વાત પરથી સમજવું જોઈએ કે એક સમયે 400થી વધુ બેઠકો મેળવ્યા બાદ આજે તે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે, જ્યારે એક સમયે માત્ર બે બેઠકો ધરાવનાર ભાજપ હવે આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની સેવામાં લોકોને પોતાની સાથે જોડવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે, તો બીજી તરફ કોઈ પોતાના લોકોને સુરક્ષિત રાખવામાં અસમર્થ છે.

આ સમાચાર પણ વાંચો: Nigeria Shooting: બંદૂકધારીઓએ નાઈજીરિયામાં જાહેરમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું, આટલા લોકોના થયા મોત..

ચાર વખતના ધારાસભ્ય અને આંધ્ર પ્રદેશના સ્પીકર કિરણ કુમાર રેડ્ડીએ કહ્યું કે, ભાજપનું સમગ્ર નેતૃત્વ રાષ્ટ્ર નિર્માણની ભાવના સાથે આગળ વધી રહ્યું છે. પાર્ટીના નેતાઓની સાથે ભાજપનો સામાન્ય કાર્યકર પણ આ ભાવનાથી આગળ વધી રહ્યો છે. આ લાગણી આસાનીથી આવતી નથી, આ માટે ભાજપના ટોચના નેતાઓએ લાંબા સમયથી મહેનત કરી છે અને કાર્યકરોને માર્ગદર્શિકા આપી છે. ભાજપની નીતિ અને દિશા એકદમ સ્પષ્ટ છે. તે ગરીબો અને યુવાનો માટે સમર્પિત છે.

કિરણ કુમાર રેડ્ડી સાથે જોડાવાના પ્રસંગે પાર્ટીના નેતા પ્રહલાદ જોશીએ કહ્યું કે પૂર્વ ક્રિકેટર કિરણ કુમાર રેડ્ડી હવે ભાજપ માટે બેટિંગ કરશે. તેણે રણજી સ્તર સુધી ક્રિકેટ રમી છે. તેમણે કહ્યું કે તે વડાપ્રધાન મોદીની ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં યોગદાન આપવા માંગે છે, તેથી તેમણે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.

સંયુક્ત આંધ્રપ્રદેશના છેલ્લા મુખ્યમંત્રી

કિરણ કુમાર રેડ્ડી સંયુક્ત આંધ્ર પ્રદેશના છેલ્લા મુખ્યમંત્રી હતા. વર્ષ 2014માં જ્યારે તત્કાલીન યુપીએ સરકારે આંધ્રપ્રદેશને આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વિભાજીત કરવાનો નિર્ણય કર્યો ત્યારે કિરણ કુમાર રેડ્ડીએ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. કિરણ રેડ્ડીએ વિરોધમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને પોતાની પાર્ટી જય સામૈક્ય આંધ્રની રચના કરી. જો કે, વર્ષ 2018માં તેઓ ફરીથી કોંગ્રેસમાં જોડાયા હતા.

કિરણ રેડ્ડીએ ઈશારામાં મોટી વાત કહી

કિરણ કુમાર રેડ્ડી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીની હાજરીમાં ભાજપમાં જોડાયા. આ દરમિયાન કિરણ રેડ્ડીના પરિવારના કેટલાક સભ્યો પણ હાજર હતા. બીજેપીમાં જોડાયા બાદ કિરણ કુમાર રેડ્ડીએ કહ્યું હતું કે ‘કોંગ્રેસ હાઈકમાન્ડના ખોટા નિર્ણયોને કારણે પાર્ટી એક પછી એક રાજ્ય તૂટી રહી છે’. તે એક રાજ્ય વિશે નથી. એક જૂની વાર્તા છે કે મારો રાજા ખૂબ જ બુદ્ધિશાળી છે, તે પોતાના માટે વિચારતો નથી અને કોઈનું સૂચન સાંભળતો નથી. હું શું કહેવા માંગુ છું તે તમે બધા જાણતા જ હશો. રેડ્ડીએ કહ્યું કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારે કોંગ્રેસ છોડવી પડશે.

કોંગ્રેસ છોડવાનું કારણ જણાવ્યું

કોંગ્રેસ પાર્ટી લોકોના અભિપ્રાયને સમજી શકતી નથી. કોંગ્રેસ પાર્ટી ન તો એનું વિશ્લેષણ કરી રહી છે કે ભૂલ શું છે અને ન તો તેઓ સુધારવા માંગે છે. તે વિચારે છે કે તે સાચો છે અને દેશના લોકો સહિત અન્ય લોકો ખોટા છે. આ વિચારધારાને કારણે મેં પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો. નોંધપાત્ર રીતે, દક્ષિણ ભારતના રાજકારણમાં પોતાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહેલા ભાજપ માટે આ એક મોટી સફળતા છે. ગુરુવારે જ પૂર્વ રક્ષા મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટની પણ ભાજપમાં જોડાયા હતા.

Manikrao Kokate Resignation: કોકાટે પર કાયદાનો ગાળિયો કસાયો: ધરપકડથી બચવા હોસ્પિટલમાં દાખલ મંત્રીનું રાજીનામું મંજૂર, પોલીસ ફોર્સ તૈનાત.
Mumbai High Court Builder Rent: ભાડું ન ચૂકવનારા બિલ્ડરોની હવે ખેર નથી! મુંબઈ હાઈકોર્ટનો આદેશ – ‘જો ભાડું નહીં આપો તો વેચાણ માટેના ફ્લેટ જપ્ત કરીને હરાજી કરાશે’
Uddhav Thackeray: ઠાકરેની પવારને કડક ચેતવણી: “અમારો સાથ જોઈએ કે અજિતનો?” કાકા-ભત્રીજાની મુલાકાતોથી ઉદ્ધવ કેમ્પમાં ખળભળાટ.
Maharashtra cold: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી: રાજ્યમાં કોલ્ડ વેવનો કહેર, આગામી ૨૪ કલાક માટે હવામાન વિભાગનું મોટું અપડેટ
Exit mobile version