Site icon

મણિપુરમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સંકટમાં, નેશનલ પીપલ્સ પાર્ટીના ચાર પ્રધાનો સહિત 9ના રાજીનામા

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

18 જુન 2020

 નેશનલ પીપલ્સ પાર્ટીના ચાર પ્રધાનોએ રાજીનામું આપતા મણિપુરની ભાજપ સરકાર સંકટમાં આવી છે. જેમાંથી ત્રણ વિધાનસભ્યો તો કોંગ્રેસમાં જોડાઇ ચૂક્યા છે. આમ અત્યાર સુધી કુલ નવ વિધાનસભ્યો એ પોતાનું સમર્થન ભાજપમાંથી પાછું ખેંચ્યું છે. રાજીનામા આપનાર 4 સભ્યો ભારતીય જનતા પાર્ટી સરકારમાં આદિવાસી કલ્યાણ, યુવા, રમત ગમત જેવા ખાતા સંભાળતા હતા. જોકે ભારતીય જનતા પાર્ટીના આ સભ્યોએ રાજીનામુ આપવાનું કારણ હજુ સુધી જણાવ્યું નથી. પરંતુ હવે કોંગ્રેસ પાર્ટી રાજ્યપાલને મળીને વિધાનસભાનું સત્ર આગામી દિવસોમાં બોલાવાની અને સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની કોશિશ કરશે એ પાક્કું છે. 

બીજી તરફ મણિપુરના રાજ્ય ઉદ્યોગ પ્રધાન અને ભાજપના નેતાઓનો દાવો છે કે મણિપુરમાં ભાજપની સરકાર સામે કોઈ સંકટ નથી.

 નોંધનીય છે કે મણિપુરમાં 2017માં ચૂંટણીઓ થઈ હતી ત્યારે ભાજપે કોંગ્રેસના આઠ સભ્યોને પોતાના પક્ષમાં ખેંચી લઈ સરકાર બનાવી હતી પરંતુ 3 વર્ષ બાદ જ મણિપુરમાં ભાજપ સરકાર સંકટમાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સભાની ચૂંટણીઓ સામે છે ત્યારે જ ભાજપના સભ્યોનું પક્ષ છોડી જવું નેગેટિવ સંદેશ આપે છે…..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version