Site icon News Continuous Bureau | Mumbai

કેદારનાથ દર્શને ગયેલાં ચાર મુસાફરો ગુમ થયા, ત્રણ ટીમોનું સર્ચ ઓપરેશન જારી…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

16 જુલાઈ 2020

કેદારનાથ ધામની મુલાકાતે આવેલા ચાર યાત્રાળુઓ ગુમ થયા છે. મુસાફરો કેદારનાથ ધામથી વસુકીતાલ-ત્રિયુગી નારાયણ તરફ પગપાળા ટ્રેક પર ગયા હતા. ગુમ થયેલ મુસાફરોને શોધવા ત્રણ ટીમો જંગલમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સાથે જ હેલિકોપ્ટર દ્વારા પણ શોધવામાં આવી હતી. વરસાદ અને ગાઢ ધુમ્મસને કારણે શોધમાં સમસ્યા આવી રહી છે. આમ પોલીસ, એસડીઆરએફ અને સ્થાનિક ગાઈડની મદદથી જંગલમાં તપાસ કરી રહી છે. હકીકતમાં, 13 જુલાઈએ ગુમ થયેલા ચાર મિત્રો દહેરાદૂન અને નૈનિતાલ જિલ્લામાંથી કેદારનાથ દર્શન માટે ગયા હતા…

મળતી માહિતી મુજબ, જ્યારે ચાર ટ્રેકર્સ બે દિવસ સુધી પરત પહોંચ્યા ન હતા, ત્યારે તેમના સાથીએ સોનપ્રાયગ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણ કરી ત્યારથી, બે દિવસથી, ત્રણ ટીમો કેદારનાથ અને ત્ર્યુગિનારાયણના જંગલોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે, પરંતુ ગુમ થયેલ મુસાફરો વિશે કંઈ જાણવા મળ્યું નથી. જંગલમાં સર્ચ ઓપરેશન માટે બુધવારે સવારે દહેરાદૂનથી એક હેલિકોપ્ટર પણ મોકલવામાં આવ્યું હતું, પરંતુ સફળતા મળી નથી. બીજીબાજુ જંગલમાં હવામાન સતત ખરાબ થઈ રહ્યું છે. વરસાદ અને ગાઢ ધુમ્મસ વચ્ચે શોધખોળ કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. અને સર્ચ-બચાવ ટીમો પણ જંગલમાં અટવાઈ ગઈ છે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2WjakqN 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version