Site icon News Continuous Bureau | Mumbai

ચોંકાવનારા સમાચાર : શું છત્તીસગઢમાં ડૉક્ટરોની આળસને કારણે 404 દર્દીઓ મરી ગયા?

ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૫ મે 2021

Join Our WhatsApp Channel

શનિવાર

કોરોનાની બીજી લહેરમાં છત્તીસગઢના કોરબા જિલ્લામાં આશરે ૪૦૪ લોકોનાં મૃત્યુ થયાં છે. જોકે જિલ્લા પ્રશાસને આ મૃત્યુને કોરોનાના મૃત્યુના આંકડામાં સમાવ્યા નથી. આને કારણે વિવાદ ઊભો થયો છે. સ્થાનિક મીડિયામાં છપાયેલા રિપોર્ટ મુજબ જે કોઈ વ્યક્તિને કોરોનાનાં લક્ષણ દેખાઈ રહ્યાં હતાં તેમની વધુ તપાસ કરવાના બદલે તેમને ઘરે રહેવાની સલાહ આપી. આ ઉપરાંત બે ડૉક્ટરોને ડેબ્યુટ કરવામાં આવ્યા હતા જે ઘરે રહેનાર લોકોની ચિકિત્સા કરે, પરંતુ ઘણું કામ હોવાને કારણે આ બે ડોક્ટરો સમયસર બધાને મળી શક્યા નહોતા તેમ જ તેઓની ચિકિત્સા કરી શક્યા નહોતા. આ પરિસ્થિતિમાં આશરે ચારસો ચાર લોકોનાં પોતાના જ ઘરે મૃત્યુ થયાં છે.

ભાજપના નેતા કિરીટ સોમૈયાને મળી જાનથી મારી નાખવાની ધમકી

પ્રશાસને મૃતક વ્યક્તિઓને ડાયાબિટીસ, બ્લડપ્રેશર તેમ જ હાઇપર ટેન્શનના દર્દીઓ ગણાવીને કોરોનાના આંકડામાંથી બાકાત રાખ્યા છે.

જોકે આ સંદર્ભે સ્થાનિક મીડિયામાં સમાચાર પ્રસ્તુત થયા છે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version