News Continuous Bureau | Mumbai
Ganesh Laddu Auction: વિઘ્નહર્તા ગણેશજીને લાડુ અત્યંત પ્રિય છે. ત્યારે ગણેશ વિસર્જન બાદ દેશનો સૌથી મોંઘો લાડુ સામે આવ્યો છે. જેની કિંમત કરોડોમાં આંકવામાં આવી છે. વાસ્તવમાં ગણેશોત્સવ દરમિયાન ચઢાવવામાં આવેલા લાડુ હૈદરાબાદના બંદલાગુડામાં કીર્તિ રિચમંડ વિલા ખાતે હરાજી માટે મૂકવામાં આવ્યા હતા. સોમવારે મોડી રાત્રે યોજાયેલી લાડુની હરાજીમાં તે અંદાજે ₹1.87 કરોડમાં વેચાયો હતો. આ ગયા વર્ષની કિંમત કરતાં Rs 61 લાખ વધુ છે. ગયા વર્ષે આ લાડુની 1.26 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી. કરોડોમાં વેચાતા આ લાડુનું વજન 5 કિલો છે.
The #Ganesh laddu at Richmond Villas in #BandlagudaJagir, shocked everyone by getting an incredible amount of Rs 1.87 crore at an auction, creating a new record.
This astounding amount far outshone the auction price of around Rs 1.25 crore for the same laddu from… pic.twitter.com/5CHdMQaUQ5
— NewsMeter (@NewsMeter_In) September 17, 2024
Ganesh Laddu Auction: લાડુ અંદાજે ₹1.87 કરોડમાં વેચાયો .
તાજેતરના વર્ષોમાં, કીર્તિ રિચમંડ વિલાના લાડુએ રાજ્યમાં ગણેશ ચતુર્થીની ઉજવણીમાં સૌથી મોંઘા હોવાનો રેકોર્ડ બનાવ્યો છે. હરાજી 2019 માં શરૂ થઈ હતી જેમાં લાડુની કિંમત 18.75 લાખ રૂપિયા હતી. આ પછી, 2020માં Rs 27.3 લાખ, 2021માં Rs 41 લાખ, 2022માં Rs 60 લાખ અને 2023માં ₹1.26 કરોડની બિડ કરવામાં આવી હતી. લોકોએ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
Ganesh Laddu Auction: લાડુ જીતવાથી સમૃદ્ધિ અને સફળતા મળે છે
એક જૂથે લાડુ ખરીદ્યો છે. આ લાડુ વિશે એવી માન્યતા છે કે તેને પ્રાપ્ત કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે. ભક્તો માને છે કે લાડુ જીતવાથી સમૃદ્ધિ અને સફળતા મળે છે. ભક્તો માને છે કે લાડુ જીતવાથી આખું વર્ષ સારો પાક અને આવક થાય છે.છેલ્લા કેટલાક વર્ષોમાં, આ હરાજીએ રાષ્ટ્રીય સ્તરે પણ ધ્યાન ખેંચ્યું છે. વિવિધ ધાર્મિક પૃષ્ઠભૂમિના 100 થી વધુ વિલા માલિકોએ હરાજીમાં ભાગ લીધો હતો. જેમાં 400 થી વધુ બીડ જોવા મળી હતી. દર વર્ષે ગણપતિ ઉત્સવ દરમિયાન આયોજિત આ અનોખી ચેરિટી હરાજી ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે શરૂ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો: Lalbaugcha Raja Visarjan: ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આ… લાલબાગના રાજાને વિદાય આપવા માનવમહેરામણ ઉમટ્યું. જુઓ વિડીયો
Ganesh Laddu Auction: એકત્ર કરાયેલા રૂપિયાનો ઉપયોગ સમાજ સેવા માટે કરાશે
મહત્વનું છે કે આ ક્રાઉડ ફંડિગ પ્રયાસથી 42 થી વધુ NGO, વંચિત શાળાના બાળકો અને જરૂરિયાતમંદોને ફાયદો થાય છે. આર.વી. દિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ કાર્ય સ્વયંસેવકો દ્વારા શૂન્ય વહીવટી ખર્ચ સાથે કરવામાં આવે છે. એકત્ર કરાયેલા રૂપિયાનો ઉપયોગ સમાજ સેવા માટે કરવામાં આવશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)