Site icon News Continuous Bureau | Mumbai

Ganesh Laddu Auction: હે મા, માતાજી! ગણપતિ બાપ્પાને ચઢાવવામાં આવેલ એક લાડુ ની કિંમત અધધ… 1.87 કરોડ! જાણો શું છે ખાસિયત..

Ganesh Laddu Auction: ગણેશ ઉત્સવ 2024 મંગળવારે અનંત ચતુર્દશીના રોજ મૂર્તિઓના વિસર્જન સાથે સમાપ્ત થયો. 10-દિવસીય તહેવાર સમગ્ર દેશમાં ધામધૂમથી અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હોવા છતાં, તેલુગુ રાજ્યોમાં ઉજવણી ખાસ કરીને નોંધપાત્ર હતી. આ વર્ષે, બંદલાગુડામાં કીર્તિ રિચમન્ડ વિલા ખાતેના ઉત્સવોએ ફરી એકવાર રાષ્ટ્રીય ધ્યાન આકર્ષિત કર્યું કારણ કે તેમના ભવ્ય લાડુની હરાજીએ નવો રેકોર્ડ બનાવ્યો હતો.

Ganesh Laddu Auction Ganesh laddu auctioned for ₹1.87 crore in Hyderabad’s Bandlaguda

Ganesh Laddu Auction Ganesh laddu auctioned for ₹1.87 crore in Hyderabad’s Bandlaguda

News Continuous Bureau | Mumbai 

Ganesh Laddu Auction: વિઘ્નહર્તા ગણેશજીને લાડુ અત્યંત પ્રિય છે. ત્યારે ગણેશ વિસર્જન બાદ દેશનો સૌથી મોંઘો લાડુ સામે આવ્યો છે. જેની કિંમત કરોડોમાં આંકવામાં આવી છે. વાસ્તવમાં ગણેશોત્સવ દરમિયાન ચઢાવવામાં આવેલા લાડુ હૈદરાબાદના બંદલાગુડામાં કીર્તિ રિચમંડ વિલા ખાતે હરાજી માટે મૂકવામાં આવ્યા હતા. સોમવારે મોડી રાત્રે યોજાયેલી લાડુની હરાજીમાં તે અંદાજે ₹1.87 કરોડમાં વેચાયો હતો. આ ગયા વર્ષની કિંમત કરતાં Rs 61 લાખ વધુ છે. ગયા વર્ષે આ લાડુની 1.26 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી. કરોડોમાં વેચાતા આ લાડુનું વજન 5 કિલો છે.

Join Our WhatsApp Channel

 

 

Ganesh Laddu Auction:  લાડુ અંદાજે ₹1.87 કરોડમાં વેચાયો  .

તાજેતરના વર્ષોમાં, કીર્તિ રિચમંડ વિલાના લાડુએ રાજ્યમાં ગણેશ ચતુર્થીની ઉજવણીમાં સૌથી મોંઘા હોવાનો રેકોર્ડ બનાવ્યો છે. હરાજી 2019 માં શરૂ થઈ હતી જેમાં લાડુની કિંમત 18.75 લાખ રૂપિયા હતી. આ પછી, 2020માં Rs 27.3 લાખ, 2021માં Rs 41 લાખ, 2022માં Rs 60 લાખ અને 2023માં ₹1.26 કરોડની બિડ કરવામાં આવી હતી. લોકોએ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.  

Ganesh Laddu Auction:  લાડુ જીતવાથી સમૃદ્ધિ અને સફળતા મળે છે

એક જૂથે લાડુ ખરીદ્યો છે. આ લાડુ વિશે એવી માન્યતા છે કે તેને પ્રાપ્ત કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે. ભક્તો માને છે કે લાડુ જીતવાથી સમૃદ્ધિ અને સફળતા મળે છે. ભક્તો માને છે કે લાડુ જીતવાથી આખું વર્ષ સારો પાક અને આવક થાય છે.છેલ્લા કેટલાક વર્ષોમાં, આ હરાજીએ રાષ્ટ્રીય સ્તરે પણ ધ્યાન ખેંચ્યું છે. વિવિધ ધાર્મિક પૃષ્ઠભૂમિના 100 થી વધુ વિલા માલિકોએ હરાજીમાં ભાગ લીધો હતો. જેમાં 400 થી વધુ બીડ જોવા મળી હતી. દર વર્ષે ગણપતિ ઉત્સવ દરમિયાન આયોજિત આ અનોખી ચેરિટી હરાજી ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો: Lalbaugcha Raja Visarjan: ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આ… લાલબાગના રાજાને વિદાય આપવા માનવમહેરામણ ઉમટ્યું. જુઓ વિડીયો

Ganesh Laddu Auction: એકત્ર કરાયેલા રૂપિયાનો ઉપયોગ  સમાજ સેવા માટે કરાશે

મહત્વનું છે કે આ ક્રાઉડ ફંડિગ પ્રયાસથી 42 થી વધુ NGO, વંચિત શાળાના બાળકો અને જરૂરિયાતમંદોને ફાયદો થાય છે.  આર.વી. દિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ કાર્ય સ્વયંસેવકો દ્વારા શૂન્ય વહીવટી ખર્ચ સાથે કરવામાં આવે છે. એકત્ર કરાયેલા રૂપિયાનો ઉપયોગ  સમાજ સેવા માટે કરવામાં આવશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Maharashtra Weather Update। ક્યાંક મેઘમહેર તો ક્યાંક અગનગોળા! વિદર્ભમાં ધોધમાર વરસાદની આગાહી વચ્ચે મુંબઈમાં હીટવેવનું સંકટ, હવામાન વિભાગની મોટી ચેતવણી
Maharashtra SSC Result 2026।શું મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ મરાઠી ભૂલી રહ્યા છે? SSC બોર્ડમાં ૮૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ માતૃભાષામાં નાપાસ; શિક્ષણશાસ્ત્રીઓએ વ્યક્ત કરી ચિંતા
Indurikar Maharaj Wedding Theft। ઈન્દુરીકર મહારાજની પુત્રીના લગ્નમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ, લાખોના દાગીના રિકવર
NCRB 2024 Report। મુંબઈગરાઓ માટે ચિંતાના સમાચાર! મહિલાઓ વિરુદ્ધના ગુનામાં મુંબઈ દેશમાં ટોપ૩ માં, NCRB ના ૨૦૨૪ ના આંકડાએ વધાર્યું ટેન્શન
Exit mobile version