Site icon

ઇંડાની લારી અંગેનો નિર્ણય જંગલની આગની જેમ ફેલાયો, રાજકોટ બાદ હવે આ કોર્પોરેશને પણ લગાવ્યો પ્રતિબંધ; આજથી થશે અમલીકરણ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

મંગળવાર.

ગુજરાતમાં એક પછી એક પાલિકાઓ ઇંડા અને નોનવેજની જાહેરમાં લાગતી લારીઓ પર પ્રતિબંધ લગાવી રહી છે. 

રાજકોટ બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ નોનવેજ અને ઇંડાની લારીઓને જાહેરમાં નહીં લગાવવા અંગેનો નિર્ણય લીધો છે. 

શહેરમાં આજથી રોડ પર ઉભી રહેતી નોનવેજની લારીઓ હટાવવાની ઝૂંબેશ હાથ ધરાશે. 

સાથે જ દુકાનોમાં જે  રીતે મટન લટકતા હોય છે તેને પણ હવે તે સ્થિતિમાં રાખી નહીં શકાય. મટનને પેકિંગમાં જ રાખવા પડશે.

મ્યુનિ.કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીની સોમવારે યોજાયેલી બેઠકમાં ઉપરોક્ત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે રાજકોટ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓ ઉભી રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version