Site icon

ઇંડાની લારી અંગેનો નિર્ણય જંગલની આગની જેમ ફેલાયો, રાજકોટ બાદ હવે આ કોર્પોરેશને પણ લગાવ્યો પ્રતિબંધ; આજથી થશે અમલીકરણ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

મંગળવાર.

ગુજરાતમાં એક પછી એક પાલિકાઓ ઇંડા અને નોનવેજની જાહેરમાં લાગતી લારીઓ પર પ્રતિબંધ લગાવી રહી છે. 

રાજકોટ બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ નોનવેજ અને ઇંડાની લારીઓને જાહેરમાં નહીં લગાવવા અંગેનો નિર્ણય લીધો છે. 

શહેરમાં આજથી રોડ પર ઉભી રહેતી નોનવેજની લારીઓ હટાવવાની ઝૂંબેશ હાથ ધરાશે. 

સાથે જ દુકાનોમાં જે  રીતે મટન લટકતા હોય છે તેને પણ હવે તે સ્થિતિમાં રાખી નહીં શકાય. મટનને પેકિંગમાં જ રાખવા પડશે.

મ્યુનિ.કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીની સોમવારે યોજાયેલી બેઠકમાં ઉપરોક્ત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે રાજકોટ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓ ઉભી રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. 

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version