Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈવાસીઓ માટે સારા સમાચાર : કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 70 ટકાએ પહોંચ્યો…જાણો વિગત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

16 જુલાઈ 2020

મુંબઈમાં કોરોના મુક્ત દર્દીઓની સંખ્યા ઝડપથી વધીને 70 ટકા થઈ ગઈ છે, હવે મુંબઇકારોએ કોરોનાથી ડરવાની જરૂર નથી.હા, પણ સાવધાની પુરી રાખવી પડશે. વાત કરીએ મુંબઇની વિવિધ કોરોના હોસ્પિટલોની તો ત્યાં હાલમાં 1053 વેન્ટિલેટર છે, જેમાંથી 125 વેન્ટિલેટર ફ્રી પડ્યાં છે. વેન્ટિલેટરની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યામાં ઘટાડો એ એક સારો સંકેત છે કે કોરોનાનું જોખમ ઝડપથી ઘટી રહ્યું છે. ઉપરોક્ત તમામ માહિતી બીએમસીએ એક નિવેદનમાં આપી છે.

એક સમએ ધારાવી મુંબઇનું હોટ સ્પોટ કહેવાતું હતું. ધારાવીમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા જે તકેદારી લેવામાં આવી તેને પગલે દર્દીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે અને હવે ધારાવીમાં માત્ર 99 સક્રિય દર્દીઓ ચોપડે નોંધાયેલાં છે અને 2,067 લોકો  કોરોના થી મુક્ત થયા છે. મુંબઇમાં હાલમાં કુલ 96,256 કોરોના કેસો છે જેમાંથી, 67,830 કોરોના મુક્ત છે અને હાલમાં 22,959 સક્રિય દર્દીઓ છે. આમ એક સમયે કોરોના હોટસ્પોટ ધરાવતા ધારાવીમાં હવે સક્રિય દર્દીઓની સંખ્યા સૌથી ઓછી છે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2WjakqN 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Kalyan Teacher Murder Case મિલકત પચાવી પાડવાના મોહમાં શિક્ષિકાની નિર્મમ હત્યા, વસિયતનામા પર બળજબરીથી સહીઓ કરાવી..
Kalyan Youth Murder કલ્યાણમાં ૨૮ વર્ષીય યુવકની ૧૬ ઘા ઝીંકી હત્યા, ક્રાઇમ બ્રાન્ચે ૩૬ કલાકમાં ૩ આરોપીઓને દબોચ્યા
Thane Youth Murder લોજમાં ચારિત્ર્ય પર શંકા રાખી યુવતીની શ્વાસ રુંધીને હત્યા, પોલીસે માત્ર ૨ કલાકમાં આરોપી પ્રેમીને દબોચ્યો
Farmer Murder શહાપુરમાં પત્નીના પ્રેમીએ કુહાડીના ઘા ઝીંકી ખેડૂતની કરી નિર્મમ હત્યા, મૃતદેહ ખાઈમાં ફેંક્યો
Exit mobile version