News Continuous Bureau | Mumbai
Pension Adalat Grievance Redressal નિવૃત્ત સરકારી કર્મચારીઓ અને વરિષ્ઠ નાગરિકોને પેન્શન મેળવવામાં પડતી મુશ્કેલીઓ તેમજ વિભાગીય વિલંબના કાયમી નિકાલ માટે વહીવટીતંત્ર દ્વારા ‘પેન્શન અદાલત’ (Pension Adalat) નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પેન્શનને લગતા પ્રશ્નો ના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલ ની કચેરી, ખાનપુર અમદાવાદ 380 001. ખાતે તા. 18.09.2026 ને શુક્રવાર ના રોજ 12.00 કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવા માં આવેલ છે.
જીવનભર સેવા આપ્યા બાદ નિવૃત્તિ સમયે કે ત્યાર પછી પોતાના હકના નાણાં મેળવવા સરકારી કચેરીઓના ધરમધક્કા ખાવા ન પડે તેવા ઉમદા હેતુ સાથે આ અદાલત કાર્યરત કરવામાં આવી છે. આ મંચ પર પેન્શનરોની લાંબા સમયથી અટકેલી અરજીઓ, ટેકનિકલ ખામીઓ અને ગણતરીમાં રહેલી ભૂલોનું વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્થળ પર જ સુનાવણી કરી ઝડપી નિરાકરણ લાવવામાં આવશે.
Pension Adalat Grievance Redressal – પેન્શન અદાલતમાં કઈ કઈ ફરિયાદોનો થશે નિકાલ?
પેન્શન અદાલતમાં મુખ્યત્વે નિયમિત પેન્શન શરૂ કરવામાં થતો અસાધારણ વિલંબ, ગ્રેચ્યુઇટીની રકમની ચૂકવણી, લીવ એન્કેશમેન્ટ, પ્રોવિડન્ટ ફંડ (PF), પેન્શન રિવિઝન, કમ્યુટેશન અને એરિયર્સની બાકી રકમને લગતા કેસો હાથ પર લેવામાં આવશે. આ ઉપરાંત, અવસાન પામેલા કર્મચારીઓના કિસ્સામાં ફેમિલી પેન્શન મેળવવામાં વારસદારોને પડતી કાગળિયાની અડચણો અને બેંકિંગ સ્તરે થતી મુશ્કેલીઓનો પણ સીધો ઉકેલ લાવવામાં આવશે.
Pension Adalat Grievance Redressal – સ્થળ પર જ સુનાવણી અને અધિકારીઓની જવાબદારી
આ અદાલતમાં જિલ્લા તિજોરી અધિકારી, એકાઉન્ટન્ટ જનરલ (AG) કચેરીના પ્રતિનિધિઓ તેમજ વિવિધ સરકારી ખાતાઓના વડાઓ એક જ મંચ પર ઉપસ્થિત રહેશે. અરજદાર પેન્શનરો પોતાની ફરિયાદો સીધી અધિકારીઓ સમક્ષ રજૂ કરી શકશે અને તેના દસ્તાવેજોની ચકાસણી કરીને શક્ય હોય તેવા તમામ કેસોમાં તે જ દિવસે નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જે બાબતોમાં નીતિગત નિર્ણયોની જરૂર હોય તેમાં ચોક્કસ સમયમર્યાદા નક્કી કરી અરજદારને લેખિત જાણ કરવામાં આવશે.
Pension Adalat Grievance Redressal – અરજી કરવાની સરળ પ્રક્રિયા અને પેન્શનરોને અપીલ
વહીવટીતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે પેન્શન અદાલતનો લાભ લેવા ઇચ્છતા નિવૃત્ત કર્મચારીઓએ પોતાના પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) નંબર, અગાઉ કરેલી અરજીઓની નકલો અને જરૂરી આધાર પુરાવા સાથે નિયત તારીખ પહેલાં સંબંધિત કચેરીમાં અરજી સુપરત કરવાની રહેશે. સરકારી તંત્રએ પેન્શનરોને આ તકનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે જેથી પારદર્શક અને સંવેદનશીલ વહીવટ દ્વારા વૃદ્ધ પેન્શનરોને તેમના હકની રકમ સત્વરે મળી રહે.
👉 આ સમાચાર વાચો:
33 Percent Women Reservation ૩૩% અનામત મહિલા રાજકીય નેતૃત્વ માટે નવા માર્ગો ખોલશે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાનું મોટું નિવેદન
