મોટા સમાચાર : ઝાયડસની કોરોના વેક્સિનને મોદી સરકારે આપી લીલીઝંડી, જાણો કેટલા ડોઝ લેવા પડશે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 ઑગસ્ટ, 2021

શુક્રવાર

ગુજરાતની ફાર્મા કંપની ઝાયડસ કેડિલાની 3 ડોઝ વાળી કોરોના વેક્સિનને મોદી સરકારે મંજૂરી આપી છે. 

આ વેક્સિનનું નામ ZyCov-D છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની એક્સપર્ટ કમિટીએ શુક્રવારે આ વેક્સિનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે.

સમિતિએ કહ્યું છે કે ઝાઈડસે તેની રસીના બે-ડોઝની થેરાપી માટે અધિક માહિતી પૂરી પાડવાની જરૂર છે. 

કેડિલા હેલ્થકેર લિમિટેડ નામક જેનેરિક દવા ઉત્પાદક કંપનીએ તેની કોરોના રસી ZyCoV-Dને મંજૂરી આપવા માટે ગત 1 જુલાઈએ અરજી નોંધાવી હતી. 

આ રસીનો અસરકારકતાનો દર છે 66.6%. તેનું કહેવું છે કે તેની રસી 12-18 વર્ષની વચ્ચેની વયનાં બાળકો માટે પણ સુરક્ષિત છે.

ZyCoV-Dને ઈમર્જન્સી બાદ સંપૂર્ણ મંજૂરી મળશે એ પછી ભારતવાસીઓને કોરોના સામેના જંગમાં રસીનો પાંચમો વિકલ્પ પ્રાપ્ત થશે. 

ભાજપના નેતા કિરીટ સોમૈયા ની ગાડી પર હુમલો, પોલીસે કરવો પડ્યો લાઠીચાર્જ. જુઓ વિડિયો, જાણો વિગત

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More