Site icon

મહારાષ્ટ્રના રાજ્યપાલ અને સરકાર વચ્ચે તણાવ: ગવર્નર ભગતસિંહ કોશ્યારીએ સીએમ ઉદ્ધવ ઠાકરેને આ મામલે લખ્યો પત્ર, કરી આકરી ટીકા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 29 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

મહારાષ્ટ્રમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને મહાવિકાસ આઘાડી સરકારના સંબંધ વણસ્યા છે. 

મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણીને લઈને CM ઉદ્ધવ ઠાકરેને લખેલા તેમના પત્રમાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે.

પત્રમાં તેમણે લખ્યું છે કે, તમારા ધમકીભર્યા શબ્દો વાંચીને હું દુઃખી અને નિરાશ થયો છું. હું બંધારણનો રક્ષક છું.

મારે તમામ બંધારણીય બાબતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનો છે. તમે મારા પર દબાણ ન કરી શકો.

ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ સ્પીકરની ચૂંટણી પ્રક્રિયાના નિયમોમાં ફેરફાર પર સવાલ ઉઠાવ્યા હતા અને તેને ગેરબંધારણીય ગણાવ્યું હતું.  

આ પછી મુખ્યમંત્રીએ રાજ્યપાલને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, ‘તમને વિધાનસભાના કામકાજમાં દખલ કરવાનો અધિકાર નથી. બિનજરૂરી રીતે આ મામલામાં પડશો નહીં.’

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version