Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના રાજ્યપાલ અને સરકાર વચ્ચે તણાવ: ગવર્નર ભગતસિંહ કોશ્યારીએ સીએમ ઉદ્ધવ ઠાકરેને આ મામલે લખ્યો પત્ર, કરી આકરી ટીકા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 29 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર.

મહારાષ્ટ્રમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને મહાવિકાસ આઘાડી સરકારના સંબંધ વણસ્યા છે. 

મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણીને લઈને CM ઉદ્ધવ ઠાકરેને લખેલા તેમના પત્રમાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે.

પત્રમાં તેમણે લખ્યું છે કે, તમારા ધમકીભર્યા શબ્દો વાંચીને હું દુઃખી અને નિરાશ થયો છું. હું બંધારણનો રક્ષક છું.

મારે તમામ બંધારણીય બાબતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનો છે. તમે મારા પર દબાણ ન કરી શકો.

ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ સ્પીકરની ચૂંટણી પ્રક્રિયાના નિયમોમાં ફેરફાર પર સવાલ ઉઠાવ્યા હતા અને તેને ગેરબંધારણીય ગણાવ્યું હતું.  

આ પછી મુખ્યમંત્રીએ રાજ્યપાલને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, ‘તમને વિધાનસભાના કામકાજમાં દખલ કરવાનો અધિકાર નથી. બિનજરૂરી રીતે આ મામલામાં પડશો નહીં.’

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version