Site icon

આ મુદ્દે બોમ્બે  હાઇકોર્ટની કડક ટિપ્પણી પછી મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી ગૃહ પ્રધાન અમિત શાહની મુલાકાતે… જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શનિવાર 

ઠાકરે સરકારના વિધાન પરિષદના 12 ધારાસભ્યોની નિમણુંકનો નિર્ણય આઠ મહિના સુધી પેન્ડિંગ રાખવા મામલે બોમ્બે હાઈકોર્ટની કડક ટિપ્પણી બાદ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શુક્રવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. 

આ મુલાકાત અંગે સત્તાવાર માહિતી રાજભવનથી આપવામાં આવી છે. જોકે આ મુલાકાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

ઉલ્લેખનીય છે કે ઠાકરે સરકારના મંત્રીમંડળે મંજૂર કરેલી વિધાન પરિષદના 12 ધારાસભ્યોની નિમણુંક નો મુદ્દો રાજ્યપાલ પાસે નિર્ણય માટે પેન્ડિંગ છે. આ મામલે હાઇકોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી હતી.  

અરજી પર સુનાવણીમાં મુંબઈ હાઈકોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું હતું કે 12 ધારાસભ્યોના પ્રસ્તાવને લાંબા સમય સુધી પેન્ડિંગ રાખી શકાય નહીં. 

જોકે હાઇકોર્ટે આ મામલામાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો છે અને કહ્યું છે કે સરકારના નિર્ણયને સ્વીકારવો કે નકારવો તે રાજ્યપાલ પર નિર્ભર છે.

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version