Site icon

કંગનાની ઓફિસ તોડી પાડવાનો મામલો, રાજ્યપાલ ભગતસિંહ કોશયારીએ વ્યક્ત કરી નારાજગી, CM ના સલાહકાર પાસે માંગ્યો જવાબ..

Thackeray was made sacrificial goat by Cong, Sharad Pawar: Bhagat Singh Koshyari

ભગતસિંહ કોશ્યારીએ ઉદ્ધવ ઠાકરેને ગણાવ્યા સંત પુરુષ, આ નેતા પર આકરા નિશાન કહ્યું ઠાકરેને બનાવ્યા બલિનો બકરો..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

10 સપ્ટેમ્બર 2020

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશયારીએ  "કંગના રણૌત એપિસોડમાં સરકાર અને બીએમસી ના અયોગ્ય સંચાલન" વિશે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે, નારાજગી વ્યક્ત કરી છે. ખાસ કરીને શિવસેના સંચાલિત બીએમસી દ્વારા અભિનેત્રીના બાંદ્રાના બંગલામાં તોડફોડ કરવામાં વિભાગે જે ઉતાવળ બતાવી છે તે બાબતે જવાબ માંગ્યો છે. અનુમાન છે કે કોશયારી મહારાષ્ટ્રના વિવાદ અંગે કેન્દ્રમાં રિપોર્ટ રજૂ કરી શકે છે. નોંધપાત્ર વાત એ છે કે કંગનાને 24 કલાકની નોટિસ આપ્યાનો સમય પૂરો થાય તે પહેલાં જ તેનું બાંધકામ આડેધડ તોડી પાડવામાં આવ્યું હતું. એ પણ ત્યારે જ્યારે કંગના મહારાષ્ટ્રમાંથી બહાર હતી.. 

અહેવાલો અનુસાર, કોશયારીએ રણૌતનાં નિવેદનો અને બંગલા તોડી પાડવાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર અજોય મહેતાને બોલાવ્યા છે. રાજ્ય સરકાર વિરુદ્ધ નિવેદનો બહાર પાડ્યાના એક જ દિવસ બાદ કંગનાની ઓફીસ તોડી પાડવામાં આવી હતી. તે અંગેનો લેખિતમાં ખુલાસો માંગ્યો છે.  નોંધનીય વાત એ છે કે કોશયારી અને ઠાકરેએ વર્ષ 2019 માં અનુક્રમે મહારાષ્ટ્રના રાજ્યપાલ અને મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version