મહારાષ્ટ્ર રાજ્ય સરકારે અનલોક – ૫ ના નવા નિયમો ની જાહેરાત કરી. જાણો શું ખુલશે અને શું બંધ રહેશે… અહીં ક્લિક કરો.

by Dr. Mayur Parikh

મુંબઈ

ન્યુઝ કંટીન્યૂઝ

પહેલી ઓક્ટોબરથી મહારાષ્ટ્ર રાજ્યમાં અનલોક – ૫ ના નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. આ સંદર્ભે મહારાષ્ટ્ર સરકારે નવી ગાઇડલાઇન ની જાહેરાત કરી છે.ગાઈડ લાઈન મુજબ અનેક પ્રકારના એકમોને ખુલ્લા રહેવાની પરવાનગી આપી છે જ્યારે કે અનેક જગ્યાઓ હજી બંધ રહેશે.

 

રાજ્ય સરકારના નવા ઓર્ડર મુજબ શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંકુલો, સિનેમા હોલ, ક્લબ, ધાર્મિક સ્થળો તેમજ એ તમામ જગ્યાઓ જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ શકે છે તે તમામ બંધ રહેશે. મેટ્રો ટ્રેન ને પણ ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવી નથી.

 

પરંતુ, મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં રહેલા તમામ ઔધોગિક તેમજ વેપારી સંસ્થાનો ને પૂરી રીતે ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવી છે. આ ઉપરાંત હોટલ, રેસ્ટોરન્ટ અને બાર ને 50 ટકા હાજરી સાથે ખોલવાની પરવાનગી આપી છે. 

 

 

આ ઉપરાંત રાજ્ય સરકારે એવા નિર્દેશ જાહેર કર્યા છે કે લોકલ ટ્રેનમાં ડબાવાળાઓ સફર કરી શકશે સાથે જ લોકલ ટ્રેન ની સંખ્યા પણ વધારવામાં આવશે. આ ઉપરાંત મહારાષ્ટ્રની અંદર ચાલનારી તમામ ટ્રેનો પહેલાની જેમ ચાલવા માંડશે. 

 

સરકારે એક વાત સ્પષ્ટ કરી છે કે દૂષિત વિસ્તારમાં તમામ પ્રકારની ગતિવિધિઓ ને બંધ કરવામાં આવશે. મોઢા ઉપર માસ્ક પહેરવું તેમજ લોકોથી સુરક્ષિત અંતર રાખવું આ ઉપરાંત વૈદકીય ચિકિત્સા ઓ પહેલાની જેમ ચાલુ રાખવી એવું વધુ એક વખત કહેવામાં આવ્યું છે.

 

આ મુંબઈ શહેરવાસીઓને કોઇ ખાસ લાભ થયો નથી. ૩૧મી ઓકટોબર સુધી નવી ગાઇડલાઇન લાગુ રહેશે.

You Might Be Interested In

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More