Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાત ભાજપમાં ભૂકંપ… આ સાંસદએ અચાનક આપ્યું રાજીનામું.. જાણો આના કયા છે કારણો…

 ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

29 ડિસેમ્બર 2020

 ગુજરાત ભાજપમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ના રાજકારણમાં ફરી ભૂકંપ આવ્યો છે એમ કહી શકાય. ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ રાજીનામું આપ્યું છે. વસાવાએ પત્ર લખી પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને રાજીનામું મોકલ્યું છે. 

તેઓએ પક્ષમાં વફાદારીથી કામ કરવા છતાં કેટલીક ભૂલોને લઈ પક્ષને નુકસાન ન પહોંચે તે કારણસર રાજીનામું સોંપ્યું છે એમ જણાવ્યું છે. તેમજ આગામી બજેટ સત્રમાં લોકસભા પદેથી પણ રાજીનામું આપવાનો ઉલ્લેખ કર્યો છે. આનાથી રાજકિય વર્તુળોમાં આ મામલે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે.

બીજીબાજુ ગાંધીનગર કમલમ ખાતે વસાવાને મનાવવા માટે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે રાજીનામું આપ્યા બાદ મનસુખ વસાવા પણ કમલમ્ પહોંચ્યા છે. હાલમાં સી. આર પાટીલ અને મનસુખ વસાવા વચ્ચે ચર્ચા ચાલી રહી છે. 

સુત્રો મુજબ કેન્દ્ર સરકારની 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવેશ પર વસાવાની નારાજગી હતી, જેથી રાજીનામું આપ્યું છે. તેમની નારાજગી દૂર કરી દઈશું. એમ ભાજપના નેતાઓ આશ્વાસન આપી રહયાં છે.

 

Monsoon Delay in Maharashtra ચોમાસાની રાહ જોતા મહારાષ્ટ્રની જનતા માટે મુશ્કેલી, હજુ પાંચ દિવસ ગરમીનો માર.
Kalyan Abandoned Newborn કલ્યાણમાં કાળજું કંપાવતી ઘટના કચરાપેટીમાંથી મળી આવી ૬ દિવસની માસૂમ નવજાત બાળકી, પરિસરમાં ભારે અરેરાટી
Indian Street Food in Tokyo જાપાનમાં ગુંજ્યું પટનાના ‘જગ્ગુ ઢાબા’નું નામ, ટોક્યોમાં ભારતીય સ્ટ્રીટ ફૂડનો જાદુ.
Maharashtra Politics NDA Operation મહારાષ્ટ્રમાં ફરી મોટા રાજકીય ભૂકંપના એંધાણ! ઉદ્ધવ ઠાકરેની ચિંતા વધશે, NDA રચી રહ્યું છે નવી વ્યુહરચના
Exit mobile version