Site icon

ગુજરાત ના મુખ્યમંત્રી પહોંચ્યા સોમનાથ ચરણે…. જાણો વિગત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

ગાંધીનગર

Join Our WhatsApp Community

11 જુલાઈ 2020

ગુજરાત ના મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ વિશ્વ પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર અને બાર જ્યોર્તિલિંગ ના પ્રથમ એવા ભગવાન સોમનાથ દાદાના આજે સવારે દર્શન પૂજન કરીને ગુજરાત સહિત સમગ્ર વિશ્વને કોરોના નામની મહામારીમાંથી મુક્ત કરવાની પ્રાર્થના કરી સૌના મંગલની કામનાઓ કરી હતી. 

પૂજા અર્ચના કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે લોકડાઉન બાદ ભગવાન સોમનાથ દાદાના ચરણમાં શીશ નમાવવાની તેમની ઈચ્છા આજે પૂર્ણ થઈ છે. મુખ્યમંત્રીશ્રી સાથે તેમના પત્ની અંજલિબેન તેમજ મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ અધ્યક્ષ, આ વિસ્તારના સંસદ સભ્ય તથા પૂર્વ મંત્રી સહિતના અગ્રણીઓ પણ દર્શનમાં સહભાગી થયા હતા.

વિજયભાઈ રૂપાણીએ આ પૂર્વે ગઇકાલે સાંજે સોમનાથમાં જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્યના અધિકારીઓ સાથે બેઠક યોજી, ગીર સોમનાથ જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિની જાણકારી મેળવી નિયંત્રણ માટેના ઉપાયો સર્વેલનસ વગેરેની સૂચનાઓ આપી હતી અને તાજેતરની વરસાદી સ્થિતિ ની પણ સમીક્ષા હાથ ધરી હતી…..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Zdla3G  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version