Site icon

Farmers : ગુજરાત સરકાર ખેતીમાં શાકભાજી, ફળોની યોગ્ય જાળવણી માટે આ યોજના હેઠળ ખેડૂતોને ચૂકવે છે સહાય!

Farmers :પરંપરાગત રીતે થતી ખેતીમાં શાકભાજી, ફળોની યોગ્ય જાળવણી માટે રાજ્ય સરકાર દ્રારા ટ્રેલીઝ મંડપ યોજના અંતર્ગત ખેડૂતોને સહાય મળવાપાત્ર

Gujarat government pays farmers support under trellis porch scheme for proper maintenance of vegetables, fruits in agriculture!

Gujarat government pays farmers support under trellis porch scheme for proper maintenance of vegetables, fruits in agriculture!

News Continuous Bureau | Mumbai 

Farmers : અગાઉ રાજ્યમાં શાકભાજી પાકોનું વાવેતર મોટા ભાગે ખેડૂતો દ્વારા પરંપરાગત રીતે જમીન પર વેલા ફેલાવા દઇ કરવામાં આવતું હતું. પરંપરાગત રીતે આ પ્રકારે કરવામાં આવતી ખેતીમાં ( Farming ) સારી ગુણવત્તાવાળા શાકભાજીના ફળ મળતા ન હતા. તેમજ વધુ પડતી ગરમી, ઠંડી અને વરસાદના સમયમાં શાકભાજીના ફળ પોચા પડી જતા અથવા તો બગડી જતા હતા. જેથી રાજ્ય સરકાર ( State Govt )  દ્વારા વર્ષ ૨૦૧૨-૧૩થી શાકભાજી પાકોમાં ( vegetable crops ) ટ્રેલીઝ મંડપ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે. 

Join Our WhatsApp Community

ટ્રેલીઝ મંડપ કાચા મંડપ, અર્ધ પાકા મંડપ અને પાકા મંડપ એમ ત્રણ પ્રકારે બનાવવામાં આવે છે. ટ્રેલીઝ મંડપ યોજના ( trellis porch scheme ) હેઠળ સામાન્‍ય ખેડૂતને ૫૦ ટકા મુજબ કાચા મંડપમાં મહત્તમ રૂ.૨૬ હજાર પ્રતિ હેકટર, અર્ધ પાકા મંડપમાં રૂ.૪૦ હજાર પ્રતિ હેકટર અને પાકા મંડપમાં રૂ.૮૦ હજાર પ્રતિ હેકટર સહાય ચુકવવામાં આવે છે. જેનો લાભ લઈ કૃષિને ( agriculture ) સમૃદ્ધ બનાવવા અનુરોધ છે. 

આ સમાચાર પણ વાંચો :  Divyang Lagn Sahay Yojana: દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત આ જિલ્લામાં એક વર્ષમાં ૭૦ લાભાર્થીઓને અધધ રૂા.૩૫ લાખની સહાય કરી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version