News Continuous Bureau | Mumbai
Farmers : અગાઉ રાજ્યમાં શાકભાજી પાકોનું વાવેતર મોટા ભાગે ખેડૂતો દ્વારા પરંપરાગત રીતે જમીન પર વેલા ફેલાવા દઇ કરવામાં આવતું હતું. પરંપરાગત રીતે આ પ્રકારે કરવામાં આવતી ખેતીમાં ( Farming ) સારી ગુણવત્તાવાળા શાકભાજીના ફળ મળતા ન હતા. તેમજ વધુ પડતી ગરમી, ઠંડી અને વરસાદના સમયમાં શાકભાજીના ફળ પોચા પડી જતા અથવા તો બગડી જતા હતા. જેથી રાજ્ય સરકાર ( State Govt ) દ્વારા વર્ષ ૨૦૧૨-૧૩થી શાકભાજી પાકોમાં ( vegetable crops ) ટ્રેલીઝ મંડપ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે.
ટ્રેલીઝ મંડપ કાચા મંડપ, અર્ધ પાકા મંડપ અને પાકા મંડપ એમ ત્રણ પ્રકારે બનાવવામાં આવે છે. ટ્રેલીઝ મંડપ યોજના ( trellis porch scheme ) હેઠળ સામાન્ય ખેડૂતને ૫૦ ટકા મુજબ કાચા મંડપમાં મહત્તમ રૂ.૨૬ હજાર પ્રતિ હેકટર, અર્ધ પાકા મંડપમાં રૂ.૪૦ હજાર પ્રતિ હેકટર અને પાકા મંડપમાં રૂ.૮૦ હજાર પ્રતિ હેકટર સહાય ચુકવવામાં આવે છે. જેનો લાભ લઈ કૃષિને ( agriculture ) સમૃદ્ધ બનાવવા અનુરોધ છે.
આ સમાચાર પણ વાંચો : Divyang Lagn Sahay Yojana: દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત આ જિલ્લામાં એક વર્ષમાં ૭૦ લાભાર્થીઓને અધધ રૂા.૩૫ લાખની સહાય કરી
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.