Site icon

ગુજરાત સરકારે તમામ મંદિરો ખોલવાની આપી મંજૂરી .. પરંતુ અંતિમ નિર્ણય મંદિર ટ્રસ્ટનો.. જાણો પ્રસાદને લઈ શું કહ્યું પ્રશાસને..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
14 ઓક્ટોબર 2020

મુંબઇ અને મહારાષ્ટ્રમાં ગઈકાલે તમામ ધાર્મિક સ્થળો ખોલવાની માંગ લઈ ભાજપના નેતૃત્વમાં પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં. જ્યારે ગુજરાતમાં સરકારે જનતાની ભાવનાને ઘ્યાનમાં લઈ નવરાત્રી દરમિયાન તમામ મંદિરો ખોલવાની પરવાનગી આપી છે. આજે ગાંધીનગર ખાતે મળેલી ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં મંદિરોને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

કેટલીક જગ્યાએ નવરાત્રિના સમયમાં મંદિરમાં શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં આવતા હોવાથી, કેટલાક ધર્મસ્થળોમાં પૂરતી જગ્યા ન હોવાના કારણે, કેટલાક મંદિર પર્વતની ટોચ ઉપર હોવાના કારણે મંદિરે, દર્શન કરવા જાય ત્યાંરે સંક્રમણની સંખ્યા મહત્તમ રહે છે. આવામાં મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવે છે. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા જરૂરી નિયમો બનાવવામાં આવ્યા છે. પૂજા-આરતી વેળા ઓછામાં ઓછો લોકો દાખલ થઈ શકે એવી ત્યાંની પરિસ્થિતી હોવાના કારણે વચ્ચેના ભાગમાં ટીવીની વ્યવસ્થા કરીને દર્શનાર્થીઓને દર્શન થાય તેવી સુવિધા ઉભી કરાશે.

નવરાત્રિ દરમિયાન જેતે મંદિર ટ્રસ્ટોએ પોતાના સ્થળ પરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લીધા છે નિર્ણય.. આ નવરાત્રિના સમય દરમિયાન ધર્મસ્થાનો મંદિરો ઉપર કોરાનાનું સંક્રમણ વધે નહિ તે ધ્યાનમાં રાખીને મળતો પ્રસાદ પણ બંધ પેકિંગમાં આપવાનો નિર્ણય લીધો છે. જ્યારે કેટલાક મંદિરોમાં પ્રસાદી જ નહીં આપવામાં આવે. જેથી સંક્રમણ વધે નહિ. પ્રસાદ હાથમાં આપવાથી સંક્રમણ ફેલાવાની શક્તયા વધુ રહે છે. ઉલ્લેખનીય છે કે, નવરાત્રિ દરમિયાન ગુજરાતનું ફેમસ પાવાગઢ મંદિર અને આશાપુરા મંદિર બંધ રહેશે તેવુ મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે…

Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Exit mobile version