News Continuous Bureau | Mumbai
અમદાવાદમાં(Ahmedabad) આવેલા પ્રખ્યાત સાબરમતી આશ્રમના(Sabarmati Ashram) પ્રસ્તાવિત પુર્નવિકાસને(Proposed redevelopment) ચેલેન્જ કરનારી ગાંધીબાપુના(Gandhibapu) પ્રપૌત્ર તુષાર ગાંધીની(Great grandson Tushar Gandhi) જનહિતની અરજીને(Public interest plea) ગુજરાત હાઈકોર્ટે(Gujarat High Court) ફગાવી દીધી છે.
આ યોજના મહાત્મા ગાંધીના વિચાર અને આદર્શને પ્રોત્સાહન આપનારી છે. જનતા સુધી તેમના વિચારો પહોંચશે અને સમાજને તેનો ફાયદો થશે એવું કહીને જસ્ટિસ અરવિંદ કુમાર(Justice Arvind Kumar) અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીએ (Justice Ashutosh Shastri) તુષાર ગાંધીની અરજીને ફગાવી હતી. આ આશ્રમ તમામ સમાજ માટે અને માનવજાતિ માટે શીખવાનું સ્થાન છે એવું પણ કોર્ટે નમૂદ કરીને તુષાર ગાંધીની અરજીને ફગાવી દીધી હતી.
આ સમાચાર પણ વાંચો : ગુજરાત ATSનું ઓપરેશન ગિયર બોક્સ- કોલકાતામાંથી અધધ આટલા કરોડનું 4 કિલો હેરોઇન કર્યું જપ્ત
ગાંધી આશ્રમના(Gandhi Ashram) વ્યાપક પુનર્વિકાસ માટે રાજ્ય સરકારનો(State Govt) પ્રસ્તાવ રદ કરી શકાય છે નહીં તેના પર કોર્ટ વિચાર કરી હતી. સુપ્રીમ કોર્ટની(Supreme Court) એક બેન્ચે પ્રકરણ સુનાવણી માટે હાઈ કોર્ટને મોકલ્યું હતું.
આ દરમિયાન પ્રસ્તાવિત પુનર્વિકાસમાં આશ્રમમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવશે નહીં. આશ્રમના પરિસરમાં 55 એકર જગ્યામાં પુર્નવિકાસ કરવામાં આવવાનો છે એવો યુક્તિવાદ ગુજરાત સરકારે કર્યો હતો. તેને ધ્યાનમાં રાખીને કોર્ટે તુષાર ગાંધીની અરજીનો નિકાલ કર્યો હતો. સાબરમતી આશ્રમમાં એક એકરમાં ફેલાયેલો છે. આ પરિસરમાં કોઈ પણ બદલ કરવામાં આવશે નહીં. આશ્રમના પરિસરનો ફક્ત પુનવિર્કસ કરવામાં આવશે એવું સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી.