Site icon

ગીરમાં એશિયાઈ કિંગની વસ્તી વધીને 674 થઈ, 30,000 કિ.મી. માં ફેલાયું સાવજોનું રાજ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

જુનાગઢ

Join Our WhatsApp Community

10 જુન 2020

એશિયાઈ સાવજોની વસતી ધરાવતા એકમાત્ર ગીર અભ્યારણમાં ગર્જના કરતા સિંહો ની વસ્તી વધી રહી છે. એક અંદાજ મુજબ ગીરમાં સિંહોની વસ્તીમાં 29 ટકા જેટલો વધારો નોંધાયો છે. હકીકતમાં મહામારીને કારણે ગત મહિને થનારી સિંહોની વસ્તી ગણતરી મોકૂફ રાખવામાં આવી હતી અને તેના બદલે તારીખ 5 અને 6 જૂને પૂનમની રાતની ચાંદનીમાં 'અવલોકન' પ્રક્રિયામાં, જંગલમાં વિહરતા સાવજોની ગણના કરવાનું નક્કી કરાયું હતું. 

ગુજરાતમાં આવેલા આ અભ્યારણ ની આસપાસ 674 સિંહ હોવાનું માલુમ પડયું છે છેલ્લે. 2015માં થયેલી ગણતરી મુજબ 523 હતા જે આટલા વર્ષોમાં 151 સાવજોનો વધારો નોંધાયો છે.

 જ્યારે સિંહો અગાઉ 22,000 કિલોમીટર સુધી માં જ વિહરતા હતા જે હવે 30,000 કિલોમીટર સુધી ના જંગલમાં વિસ્તર્યા છે.

 વન અને પર્યાવરણ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, એશિયાઈ સાવજોને બચાવવા માટે ખાસ કેન્દ્ર સરકારની મદદથી એક અભિયાન ચલાવવામાં આવ્યું છે. આથી જ યોગ્ય કાળજીને કારણે સાવજોની સંખ્યા આટલી બધી વધી શકી છે. આથી હવે જંગલ સફારી કરવા જનારા લોકો માટે સારા સમાચાર છે, પહેલા કરતા ગીરના જંગલોમાં હવે વધુ સાવજો જોવા મળશે...

Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Mumbai Mayor Race:મુંબઈના મેયરની ખુરશી પર કોણ? ભાજપની ‘ટોપ 10’ મહિલા લિસ્ટમાં આ 3 નામ સૌથી શક્તિશાળી; જાણો કોણ મારી જશે બાજી.
BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Exit mobile version