Site icon

યુનેસ્કોએ દુર્લભ જાહેર કરેલાં કચ્છના ગધેડાં ‘ઘૂડખર’ની સંખ્યા વધીને 6000 હજાર થઈ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

ગાંધીનગર

Join Our WhatsApp Community

11 જુન 2020 

ઘુડખર એ ગુજરાતનું ગૌરવ છે. તેની સંખ્યા વધીને 6 હજાર સુધી પહોંચી ગઈ છે. માર્ચમાં કોરોનાને કારણે આંકડા જાહેર થઈ શક્યા નહોતા, પરંતુ કચ્છના નાના રણમાં આવેલા 4954 કિલોમીટરમાં પથરાયેલ અભ્યારણમાં માર્ચમાં ગણતરી કરાઈ હતી. ત્યારે પ્રથમવાર ડ્રોનની મદદ લેવામાં આવી હતી. આમ તો દર પાંચ વર્ષે ઘૂડખરની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે મુજબ 2014 માં 4455 ઘુડખર નોંધાયા હતા. સૌરાષ્ટ્રમાં ઘુડખર ના સમૃદ્ધ વારસા અંગે અમિતાભ બચ્ચને પ્રચાર કર્યા બાદ લોકોની ઉત્સુકતા વધી છે. સરકાર ના પ્રચાર-પ્રસાર બાદ ઘુડખર ને કારણે વનટુરીઝમ સેક્ટરમાં પણ આનું મહત્વ વધ્યું છે. 

કચ્છ જિલ્લાનું નાનું રણ એ ઘુડખરનું એકમાત્ર નિવાસસ્થાન છે. કચ્છનું રણમા, એકવીસ સો જેટલી પ્રજાતિ ના પ્રાણીઓ વસવાટ કરે છે પરંતુ ઘુડખર માત્રને માત્ર અહીં જ જોવા મળે છે. કહેવાય છે કે અહીં વિશ્વના છેલ્લા ઘુડખર સમુદાયનો સમાવેશ થાય છે .

આ અભયારણ્યને સૌથી મોટો ભય ગેરકાયદે મીઠું પકવતા અગરીયાઓનો છે.તેઓ અહીં મીઠું પકવતાં હોવાથી ઘુડખરને મારીને ભગાડી દેતા હોવાથી ઘણી વાર તેઓ મૃત્યુ પામે છે. 

ઘુડખરનું નિવાસ સ્થાન ગણાતા કચ્છના નાના રણને જ્યારથી યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર જાહેર કરાયું છે ત્યારથી દેશ-વિદેશથી અનેક લોકો અભ્યાસ, નિરીક્ષણ અને રિસર્ચ કરવા માટે અહીં આવી રહ્યા છે..

Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
World Childrens Day 2025: વિશ્વ બાળ દિવસ-૨૦૨૫ બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ,
Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Exit mobile version