દુષ્કાળના ભણકારા! ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ગત વર્ષની સરખામણીએ આટલા મીટર ઓછું પાણી; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 ઑગસ્ટ, 2021

ગુરુવાર

સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટીમાં 24 કલાકમાં માત્ર 3 થી 4 સેમીનો વધારો નોંધાઈ રહ્યો છે. 

હાલ નર્મદા ડેમ 50 ટકા કરતા પણ ઓછું પાણી છે એટલે કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેમ 20 મીટર જેટલો ખાલી છે. 

પાણી ડેમમાં ઓછું હોવાને કારણે નર્મદા ડેમમાંથી રાજ્યને ઓગસ્ટના અંત સુધી જ સિંચાઈનું પાણી મળશે.

નર્મદા જિલ્લામાં સીઝનનો અત્યાર સુધીનો માત્ર 487 MM વરસાદ પડ્યો છે. હાલ નર્મદા બંધની જળસપાટી 115.81 મીટર થઇ છે. 

નર્મદા બંધમાં હાલ તો પાણીનો જથ્થો હોવા છતાં જો વરસાદ ખેંચાશે તો ગંભીર જળસંકટ ઊભું થઈ શકવાની સંભાવનાઓ રહેલી છે. 

ઉલેખનીય છે છેલ્લા બે વર્ષ સારો વરસાદ પડતા નર્મદા બંધ મહત્તમ સપાટી 138.68 મીટર સુધી પહોંચી ગયો હતો અને ડેમના 27 ગેટ ખોલવાની ફરજ પડી હતી. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More