397
Join Our WhatsApp Channel
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 નવેમ્બર, 2021
સોમવાર
કોરોના સંક્રમણ ઘટવાને કારણે ગુજરાત સરકારે પ્રાથમિક શાળાને લઈને મહત્વનો નિર્ણય લીધો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્ય સરકારે ધોરણ 1 થી 5 સુધીની શાળાઓ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
એટલે કે આજથી એસઓપી પ્રમાણે ધોરણ 1થી 5ના વર્ગના ઓફલાઈન વર્ગો શરૂ થઈ જશે.
બાળકોને ચેપના જોખમથી બચાવવા માટે તમામ જરૂરી કોરોના સાવચેતીઓનું પાલન કરવામાં આવશે. શાળામાં માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો લાગુ પડશે.
વર્ગો ફરીથી શરૂ કરવા અંગેનો અંતિમ નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આરોગ્ય વિભાગ સાથે પરામર્શ કરીને લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ યુજી-પીજી છેલ્લા વર્ષ અને ધોરણ 10 અને 12ના વર્ગખંડ શરૂ કર્યા પછી ધોરણ નવ અને અગિયાર તેમજ ધોરણ છ થી આઠના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા.
You Might Be Interested In