Site icon

Gujarat ST Bus: દિવાળીમાં મુસાફરોની સુવિધામાં વધારો.. ગુજરાત STએ કર્યું ૮,૩૪૦ બસોની એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન, આટલા લાખ યાત્રીઓને મળશે લાભ

Gujarat ST Bus: દિવાળી -૨૦૨૪ને ધ્યાને લઈને ગુજરાત એસ.ટી દ્વારા ૮,૩૪૦ બસોની એક્સ્ટ્રા ટ્રીપોનો ગુજરાતના અંદાજે ૩.૭૫ લાખ જેટલા મુસાફરોને લાભ મળશે. એસ.ટી નિગમ દૈનિક ૮,૦૦૦થી વધુ બસો થકી ૩૩ લાખ કિલોમીટરનું સંચાલન કરી ૨૫ લાખથી વધુ મુસાફરોને સેવા આપે છે. સપ્ટેમ્બર મહિના કરતા ઓક્ટોબર મહિનામાં તહેવારોના પરિણામે દૈનિક એડવાન્સ બુકિંગમાં ૧૮%નો વધારો નોંધાયો. મુસાફરોને સંચાલન સંબંધિત પુછપરછ માટે ટોલ ફ્રી નં. ૧૮૦૦-૨૩૩-૬૬૬૬૬૬ જાહેર કરાયો

Gujarat ST has planned extra trips of 8,340 buses, 3.75 lakh passengers will get benefit in Diwali

Gujarat ST has planned extra trips of 8,340 buses, 3.75 lakh passengers will get benefit in Diwali

News Continuous Bureau | Mumbai

Gujarat ST Bus: શહેરી તેમજ છેવાડાના નાગરીકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સુવિધા ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને મક્કમ નેતૃત્વના લીધે આજે ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર રાજ્ય બન્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાત સરકાર માર્ગ પરિવહન ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવી મુસાફરોની સુવિધામાં વધારો કરવાનો નિરંતર પ્રયાસ કરી રહી છે. આગામી દિવાળીના તહેવારોમાં ૮,૩૪૦ બસોની એક્સ્ટ્રા ટ્રીપોનો રાજ્યના અંદાજે ૩.૭૫ લાખ જેટલા મુસાફરોને એસ.ટીની સલામત અને સમયબદ્ધ સવારીનો લાભ મળશે તેમ વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે.  

Join Our WhatsApp Community

           યાદીમાં વધુમાં જણાવ્યા મુજબ ગુજરાત (Gujarat Government ) રાજ્ય પરિવહન નિગમ દૈનિક ૮,૦૦૦થી વધુ બસો, ૩૩ લાખ કિલોમીટરનું સંચાલન કરી ૨૫ લાખથી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ રીતે પહોચાડવાની બસ સેવાઓ પૂરી પાડે છે. આ ઉપરાંત દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને નોકરી વ્યવસાય કરનારા નાગરીકો પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી માદરે વતનમાં કરી શકે તે માટે ખાસ ૮,૩૪૦ બસોની એક્સ્ટ્રા ટ્રીપોનું ( આયોજન કરવામાં આવ્યું છે. 

         જેમાં ચાલુ વર્ષના આયોજનમાં માત્ર સુરત ખાતેથી ૨૨૦૦ બસો, દક્ષિણ- મધ્ય ગુજરાત ( Gujarat ST Bus ) માંથી ૨૯૦૦, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ૨૧૫૦ તેમજ ઉત્તર ગુજરાતમાંથી ૧૦૯૦ મળીને કુલ ૮,૩૪૦ બસોની એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના થકી રાજ્યના ૩.૭૫ લાખ જેટલા મુસાફરોને સ્વચ્છ, સલામત અને સમયબદ્ધ બસોની સેવાઓનો લાભ મળશે.  દિવાળીના એક્સ્ટ્રા સંચાલનના આયોજનને ખુબ જ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ગત માસ કરતા હાલમાં તહેવારોના પરિણામે થઇ રહેલ દૈનિક એડવાન્સ બુકિંગમાં ( GSRTC )  ૧૮%નો વધારો જોવા મળી રહ્યો છે.            

        આ સમયગાળા દરમ્યાન નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સેવાઓનું નિગમની વિભાગીય કચેરીના ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે. એસ.ટીમાં મુસાફરી કરતા મુસાફરોને સંચાલન સંબંધિત પુછપરછ માટે નિગમના ટોલ ફ્રી નં. ૧૮૦૦-૨૩૩-૬૬૬૬૬૬ ઉપર ૨૪ કલાક જાણકારી મેળવી શકશે.

આ સમાચાર પણ વાંચો : Khel Mahakumbh 2.0 Gujarat: ગુજરાતના ખેલ મહાકુંભ ૨.0માં રેકોર્ડ બ્રેક ૬૬ લાખથી વધુ રમતવીરોનું રજિસ્ટ્રેશન! આ ચાર નવી રમતો ઉમેરાઈ

          અત્રે ઉલેખ્ખનીય છે કે, રાજ્યના ( Gujarat ) સૌરાષ્ટ્ર પ્રદેશ અને તેમાં પણ ખાસ કરીને ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાઓના રત્નકલાકારો સુરતમાં નોકરી/વ્યવસાય અર્થે સ્થાયી થયેલ છે, કે જેઓ દિવાળીના તહેવારમાં માદરે વતન તરફ પ્રવાસ કરે છે. મોટી સંખ્યામાં પ્રવાસ કરતા સૌરાષ્ટ્રવાસીઓ તથા રાજ્યની અન્ય જનતા માટે સુરતથી ખાસ એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નિગમના સુરત વિભાગ દ્વારા તા.૨૬ થી તા.૩૦ ઓક્ટોબર ૨૦૨૪ દરમ્યાન સૌરાષ્ટ્ર તરફના રત્નકલાકારો, પંચમહાલ, ઉત્તર ગુજરાત તથા મહારાષ્ટ્ર તરફના મુસાફરો માટે સુરત ખાતેથી વધારાની ૨૨૦૦ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. નિગમના અન્ય વિભાગો દ્વારા પણ દિવાળીના સમયગાળા દરમ્યાન એકસ્ટ્રા સેવાઓનું રાજ્યના વિવિધ રૂટ ઉપર સંચાલન હાથ ધરવામાં આવશે તેમ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં વધુમાં જણાવાયું છે.  

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Pregnant Job scam: નકલી લાલચમાં ફસાયોકોન્ટ્રાક્ટર: પુણેમાં ‘પ્રેગ્નન્ટ જોબ’ના કૌભાંડથી ૧૧ લાખની છેતરપિંડી.
Bachchu Kadu Movement: બચ્ચુ કડુના ખેડૂત આંદોલનમાં આજે મનોજ જરાંગે પાટીલ થશે સામેલ, નાગપુરમાં ખેડૂતોનો પડાવ, આ છે માંગ
Cyclone Mantha: મહારાષ્ટ્રમાં હવામાનનો ખતરો યથાવત્: ચક્રવાતની અસર વધુ કેટલાક સમય રહેશે, કોંકણ કિનારાને ‘હાઇ એલર્ટ’ જાહેર.
Maharashtra cybercrime news: સાયબર ક્રાઇમ પર તવાઈ: સભાપતિએ ‘બનાવટી એપ’ દ્વારા થતી છેતરપિંડી રોકવા નિર્દેશ આપ્યા, યુવાનોને જાગૃત કરવા અપીલ.
Exit mobile version