Site icon News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી કેસમાં હાઇકોર્ટનો સૌથી મોટો ચુકાદો, ‘શિવલિંગ’ની કાર્બન ડેટિંગ લઈને આપ્યો આ આદેશ..

હાઈકોર્ટે શિવલિંગની કાર્બન ડેટિંગ કરવા માટે આપી મંજૂરી...

Survey resumes in Gyanvapi… 16 people allowed to enter campus except ASI team… Boycotted by Muslim party.. Read full details here..

Survey resumes in Gyanvapi… 16 people allowed to enter campus except ASI team… Boycotted by Muslim party.. Read full details here..

News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી શૃંગાર ગૌરી પ્રકરણમાં પ્રયાગરાજ હાઈકોર્ટે કાર્બન ડેટિંગની તરફેણમાં નિર્ણય આપ્યો છે. જેના કારણે હવે મસ્જિદ પરિસરમાં કોર્ટ સર્વે દરમિયાન મળી આવેલ શિવલિંગનો ચોક્કસ સમય જાણી શકાશે. ઇસ્લામિક પક્ષ તેને ફુવારો ગણાવી રહ્યું છે.

Join Our WhatsApp Channel

કોણે દાખલ કરી અરજી

આ અરજી એડવોકેટ વિષ્ણુ શંકર જૈન દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેઓ પુરાતત્વીય મહત્વ ધરાવતા હિંદુ દેવી-દેવતાઓ અંગે કોર્ટમાં અરજીઓ દાખલ કરે છે. જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરી પરિસરમાં આવેલી મસ્જિદમાંથી મળી આવેલા શિવલિંગનો ચોક્કસ સમય જાણવા માટે કાર્બન ડેટિંગ માટે ઓર્ડર માંગવામાં આવ્યો હતો. તેના પર સુનાવણી કરતા જસ્ટિસ અરવિંદ કુમાર મિશ્રાએ આ આદેશ આપ્યો છે. આ પહેલા હાઈકોર્ટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) પાસેથી રિપોર્ટ મંગાવ્યો હતો. આ રિપોર્ટ અનુસાર કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે.

હિન્દુ પક્ષની અરજી સ્વીકારવામાં આવી

જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરી પ્રકરણના અરજદાર એડવોકેટ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું છે કે, અમે જ્ઞાનવાપી મસ્જિદના વજુખાનામાંથી મળેલા શિવલિંગની કાર્બન ડેટિંગ અંગે સિવિલ કોર્ટમાં અરજી કરી હતી, જેને સિવિલ કોર્ટે રદ કરી હતી. . આના પર અમે હાઈકોર્ટ પ્રયાગરાજમાં સિવિલ રિવિઝન દાખલ કરી હતી, જેના પર આજે કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI)ને તેની વૈજ્ઞાનિક તપાસ બાદ રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે.

Nautapa Weather Update। મહારાષ્ટ્રમાં ‘નવતપા’ શરૂ થતાં જ પારો ૪૭ ડિગ્રીને પાર, હવામાન વિભાગની કડક ચેતવણી
Fuel Hoarding in Maharashtra। મહારાષ્ટ્રમાં પેટ્રોલડીઝલની અછત મુદ્દે સીએમ ફડણવીસ સખત, ગૃહ વિભાગ એલર્ટ પર
Bahujan Vikas Aaghadi Shivsena Merge। મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉથલપાથલના સંકેત હિતેન્દ્ર ઠાકુરની ‘બહુજન વિકાસ આઘાડી’ શિવસેનામાં વિલીન થવાની શક્યતા
Mumbai Weather Yellow Alert। મુંબઈમાં બફારા અને ઉકળાટથી જનજીવન પ્રભાવિત આગામી ૨ થી ૩ દિવસ ભારે, જાણો તમારા શહેરમાં કેટલો રહેશે પારો
Exit mobile version