Site icon News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી કેસમાં હાઇકોર્ટનો સૌથી મોટો ચુકાદો, ‘શિવલિંગ’ની કાર્બન ડેટિંગ લઈને આપ્યો આ આદેશ..

હાઈકોર્ટે શિવલિંગની કાર્બન ડેટિંગ કરવા માટે આપી મંજૂરી...

Survey resumes in Gyanvapi… 16 people allowed to enter campus except ASI team… Boycotted by Muslim party.. Read full details here..

Survey resumes in Gyanvapi… 16 people allowed to enter campus except ASI team… Boycotted by Muslim party.. Read full details here..

News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી શૃંગાર ગૌરી પ્રકરણમાં પ્રયાગરાજ હાઈકોર્ટે કાર્બન ડેટિંગની તરફેણમાં નિર્ણય આપ્યો છે. જેના કારણે હવે મસ્જિદ પરિસરમાં કોર્ટ સર્વે દરમિયાન મળી આવેલ શિવલિંગનો ચોક્કસ સમય જાણી શકાશે. ઇસ્લામિક પક્ષ તેને ફુવારો ગણાવી રહ્યું છે.

Join Our WhatsApp Channel

કોણે દાખલ કરી અરજી

આ અરજી એડવોકેટ વિષ્ણુ શંકર જૈન દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેઓ પુરાતત્વીય મહત્વ ધરાવતા હિંદુ દેવી-દેવતાઓ અંગે કોર્ટમાં અરજીઓ દાખલ કરે છે. જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરી પરિસરમાં આવેલી મસ્જિદમાંથી મળી આવેલા શિવલિંગનો ચોક્કસ સમય જાણવા માટે કાર્બન ડેટિંગ માટે ઓર્ડર માંગવામાં આવ્યો હતો. તેના પર સુનાવણી કરતા જસ્ટિસ અરવિંદ કુમાર મિશ્રાએ આ આદેશ આપ્યો છે. આ પહેલા હાઈકોર્ટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) પાસેથી રિપોર્ટ મંગાવ્યો હતો. આ રિપોર્ટ અનુસાર કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે.

હિન્દુ પક્ષની અરજી સ્વીકારવામાં આવી

જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરી પ્રકરણના અરજદાર એડવોકેટ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું છે કે, અમે જ્ઞાનવાપી મસ્જિદના વજુખાનામાંથી મળેલા શિવલિંગની કાર્બન ડેટિંગ અંગે સિવિલ કોર્ટમાં અરજી કરી હતી, જેને સિવિલ કોર્ટે રદ કરી હતી. . આના પર અમે હાઈકોર્ટ પ્રયાગરાજમાં સિવિલ રિવિઝન દાખલ કરી હતી, જેના પર આજે કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI)ને તેની વૈજ્ઞાનિક તપાસ બાદ રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે.

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version