Site icon

Gyanvapi Case : જ્ઞાનવાપીમાં આ મળ્યા અવશેષો. સો ટકા મંદિર જ છે એવું સાબિત થશે…

Gyanvapi Case : વારાણસી જિલ્લા અદાલતે કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલા જ્ઞાનવાપી સંકુલના ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા હાથ ધરાયેલા સર્વેનો અહેવાલ પક્ષકારોને સોંપ્યો હતો. અહેવાલો અનુસાર, મસ્જિદની વર્તમાન રચનાના નિર્માણ પહેલા જ્ઞાનવાપીમાં એક મોટું હિન્દુ મંદિર હતું.

Gyanvapi Case These fossils were found in GyanVapi. It will be proved that it is a hundred percent temple

Gyanvapi Case These fossils were found in GyanVapi. It will be proved that it is a hundred percent temple

News Continuous Bureau | Mumbai 

Gyanvapi Case : કાશી વિશ્વનાથ મંદિરની જમીન પર બનેલા જ્ઞાનવાપી સંકુલમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા હાથ ધરાયેલા સર્વેનો ( ASI Survey ) અહેવાલ જિલ્લા અદાલત દ્વારા પક્ષકારોને સોંપવામાં આવ્યો હતો. આ અહેવાલમાં જ્ઞાનવાપી સંકુલમાં મંદિર ( Hindu Mandir ) હોવાના પુરાવાની વિગતો મળી છે. જે આ પ્રમાણે છે.  

Join Our WhatsApp Community

-જ્ઞાનવાપીમાં બનાવેલ મસ્જિદ પહેલા બનેલા મંદિરમાં ( Kashi Vishwanath Temple ) એક મોટો સેન્ટ્રલ હોલ અને ઉત્તર બાજુએ એક નાનો હોલ હતો.

-17મી સદીમાં મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું અને તેનો એક ભાગ મસ્જિદમાં ( Gyanvapi  masjid ) સમાવિષ્ટ કરવામાં આવ્યો હતો.

-મંદિરના સ્તંભો તેમજ અન્ય અવશેષોનો ઉપયોગ મસ્જિદના નિર્માણમાં વધુ ફેરફાર કર્યા વિના કરવામાં આવ્યો હતો.

-કેટલાક સ્તંભો પરથી હિંદુ પ્રતીકો હટાવી દેવામાં આવ્યા છે.

-મસ્જિદની પશ્ચિમી દિવાલ સંપૂર્ણપણે હિંદુ મંદિરનો ભાગ છે.

-સર્વે દરમિયાન 32 શિલાલેખ અને પથ્થરો મળી આવ્યા છે. આ ત્યાંના પ્રથમ હિન્દુ મંદિરના અસ્તિત્વના પુરાવા છે.

આ સમાચાર પણ વાંચો : National Creators Award 2024: સરકારે નવા યુગના પ્રભાવકો માટે જાહેરાત કરી ‘નેશનલ ક્રિએટર્સ એવોર્ડ’, PM મોદીએ કરીઆ અપીલ

-આ શિલાલેખો ( Inscriptions ) દેવનાગરી, તેલુગુ અને કન્નડ ભાષાઓમાં છે.

-એક શિલાલેખમાં જનાર્દન, રુદ્ર અને ઉમેશ્વર લખેલું છે, જ્યારે બીજા શિલાલેખમાં ‘મહામુક્તિ મંડપ’ લખેલું છે.

-મસ્જિદના ઘણા ભાગોમાં મંદિરની રચનાઓ મળી આવી છે.

-મસ્જિદના નિર્માણ સાથે સંબંધિત શિલાલેખમાં ઉલ્લેખિત સમયને ભૂંસી નાખવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.

આ તમામ પુરાવાઓ ASI રિપોર્ટમાં ( ASI report ) સામેલ છે. જે અદાલત દ્વારા પક્ષકારોને સોંપવામાં આવ્યા છે. જેથી સાબિત થાય છે કે મસ્જિદ પહેલા અહીં એક ભવ્ય મંદિર હતું.

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Naxal Hidma: મોસ્ટ વોન્ટેડ નક્સલી હીડમા છત્તીસગઢ બોર્ડર પર ઠાર, એન્કાઉન્ટરમાં તેના આટલા સાથીઓ પણ માર્યા ગયા
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Exit mobile version