News Continuous Bureau | Mumbai
આઝાદીના અમૃત મહોત્સવ(Azadi's Amrit Mohotsav) નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ(Prime Minister Narendra Modi) સોશિયલ મિડિયા પ્લેટફોર્મ(Social media platforms) પર પોતાના ડીપીને(DP) બદલીને રાષ્ટ્રીય ધ્વજને(national flag) રાખ્યો છે. તેમ જ દેશની તમામ જનતાને પણ પોતાના ડીપીમાં રાષ્ટ્રીય ધ્વજને રાખવાની અપીલ કરી છે, જોકે વિપક્ષે(Opposition party) પોતાના ડીપી બદલ્યા નથી. મોદીનો વિરોધ કરવા તેઓએ પોતાના ડીપી નહીં બદલવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.
મોદીએ દેશની તમામ જનતાને આઝાદીના 75મા વર્ષની ઉજવણી(Independence day celeberation) માં સામેલ થવાની અપીલ કરી હતી. તે માટે સોશિયલ મીડિયા પર ડીપીમાં નેશનલ ફ્લેગને(National flag) રાખવાની વિનંતી કરી હતી. તેમની વિનંતી બાદ કેન્દ્રીય પ્રધાન(Union Minister), મુખ્ય પ્રધાન(Chief Minister) અને ભાજપ(BJP) શાસિત રાજ્યના પ્રધાનો(State Ministers), પક્ષના સમર્થકો અને સરકારી વિભાગના કર્મચારીઓએ ડીપીને બદલીને તેમાં રાષ્ટ્રધ્વજ રાખી દીધો છે. જોકે વિપક્ષોએ એમ નહીં કરતા આ ઇવેન્ટ ફક્ત ભાજપ પૂરતી સીમિત થઈ ગઈ હોવાનું જણાઈ રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ જંતર મંતર પર આંદોલને બેઠા-આ છે કારણ
31 જુલાઈના મન કી બાત(Mann Ki Baat) આ રેડિયો કાર્યક્રમમાં(Radio program) મોદીએ ડીપીને તિરંગામાં બદલવાનો વિચાર રજૂ કર્યો હતો. હર ઘર તિરંગા યોજનાને(Har Ghar Tiranga Yojana) અમલમાં મૂકવાની મૂળ યોજનાનું વિસ્તરણ હતું ,જે 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ સુધી દેશના તમામ ઘરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવાની અપીલ પણ તેમણે કરી છે. તેમની અપીલને ધ્યાનમાં રાખીને ફિલ્મ અભિનેતાથી લઈને ભાજપના મોટાભાગના નેતાઓએ પણ ડીપી બદલી નાખ્યા છે. જોકે વિરોધપક્ષે આ ઝુંબેશથી વિરુદ્ધ પોતાના ડીપી બદલ્યા નથી