ભાજપ શાસિત આ રાજ્યના ગૃહ મંત્રીની તબિયત બગડી, ઑક્સિજન લેવલમાં થયો ઘટાડો; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 ઑગસ્ટ, 2021

શુક્રવાર

હરિયાણા સરકારમાં ગૃહ મંત્રી અનિલ વિજની આજે તબિયત ખરાબ થઈ ગઈ છે.

પ્રાપ્ત જાણકારી મુજબ ઑક્સિજન લેવલ ઓછુ થવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અનિલ વિજને હવે ઑક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.

અનિલ વિજની તબિયત ખરાબ થવાના કારણે શનિવારે લગાવવામાં આવેલા જનતા દરબારને રદ કરી દેવાયા છે.

ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ અનિલ વિજ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા હતા. અનિલ વિજ વેક્સિનના ટ્રાયલમાં સામેલ થઈ ચૂક્યા છે. વેક્સિન લગાવ્યા બાદ પણ તેમની તબિયત લથડી હતી.

જોકે, છેલ્લા કેટલાક દિવસથી તેઓ સતત એક્ટિવ હતા પરંતુ હવે એકવાર ફરી તબિયત ખરાબ થવાના કારણે તેઓ વિધાનસભાનુ સત્ર મિસ કરી શકે છે.

દેશભરના ઝવેરીઓએ આ માગણીને લઈને 23 ઑગસ્ટના જાહેર કરી ટોકન સ્ટ્રાઇક; જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More