વરલી ગેસ સિલિન્ડર બ્લાસ્ટ કેસ: મુંબઈ હાઈકોર્ટ મુંબઈ મેયરને ફટકારી નોટિસ; આટલા સપ્તાહમાં મંતવ્યો રજૂ કરવાનો આપ્યો આદેશ 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,13 જાન્યુઆરી 2022          

ગુરુવાર.

મુંબઈના મેયર કિશોરી પેડનેકરની ટીકા કરવા બદલ ભાજપના નેતા આશિષ શેલાર મુશ્કેલીમાં મુકાયા છે. વરલી ગેસ સિલિન્ડર બ્લાસ્ટ કેસને લઈને આશિષ શેલારે મ્યુનિસિપલ પ્રશાસન અને મેયરની આકરી ટીકા કરી હતી. મેયર કિશોરી પેડનેકરે મરીન લાઈન્સ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. આ મામલો રાજ્ય મહિલા આયોગે પણ ઉઠાવ્યો હતો. આશિષ શેલાર તેમની સામેનો કેસ રદ કરવા માટે હાઈકોર્ટમાં દોડી ગયા હતા. આજે આ મામલે બોમ્બે હાઇકોર્ટે સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન હાઈકોર્ટે બંને પ્રતિવાદીઓને નોટિસ પાઠવી છે. સાથે જ કોર્ટે મેયર અને રાજ્ય સરકારને પણ બે સપ્તાહમાં તેમના મંતવ્યો રજૂ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. મુંબઈ હાઈકોર્ટે આશિષ શેલાર અને મેયર કિશોરી પેડનેકરને સલાહ આપી છે કે તેઓ આ વિવાદનો શાંતિપૂર્ણ   સમાધાન કરે.  

ઉલ્લેખનીય છે કે ભાજપના નેતા આશિષ શેલારે વર્લીમાં BDD સિલિન્ડર બ્લાસ્ટ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી વખતે મેયર કિશોરી પેડનેકર વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. દુર્ઘટનામાં ચાર મહિનાના બાળકનું મૃત્યુ થયું હતું, તેના પિતાનું મૃત્યુ થયું હતું. જોકે, મુંબઈના મેયર 72 કલાક પછી પણ હોસ્પિટલ પહોંચ્યા ન હતા. આશિષ શેલારે આ મુદ્દે મેયરની ટીકા કરી હતી.

કોરોનાનું વરવું સ્વરૂપ. ગુજરાતમાં એક સપ્તાહમાં પોઝિટીવિટી રેટ ૪ ગણો વધ્યો.

મેયર વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ આશિષ શેલાર વિરુદ્ધ મરીન લાઈન્સ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. જો કે, ધરપકડમાંથી મુક્તિ મેળવવા આશિષ શેલારે તેમની સામેનો કેસ રદ કરવા માટે હાઈકોર્ટમાં દોડી ગયા હતા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More