Site icon

શિંદે V/S ઠાકરે… મહારાષ્ટ્ર સત્તા સંઘર્ષ પર આ તારીખે થશે સુનાવણી, શું ઠાકરે જૂથની માંગ સ્વીકારાશે? 

EC rejects suggestions of final order on Shiv Sena poll symbol dispute ahead of Maha By-polls

પેટાચૂંટણી પહેલા શિવસેનાના ચૂંટણી ચિહ્ન પર વિવાદ, ECએ અંતિમ આદેશ માટેના સૂચનોને નકારી કાઢ્યા

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના રાજકારણમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે રાજકીય યુદ્ધ ચરમસીમાએ પહોંચતું જણાય છે. ધીરે ધીરે, ઠાકરે જૂથના પદાધિકારીઓ અને કાર્યકરો પણ શિંદે જૂથમાં જોડાતા જોવા મળી રહ્યા છે. ત્યારે પક્ષના નામ અને ચિહ્નને લઈને હજુ પણ ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથ વચ્ચે કેન્દ્રીય ચૂંટણી પંચ તેમજ સુપ્રીમ કોર્ટમાં લડાઈ ચાલી રહી છે. આ જ ક્રમમાં આવતીકાલે રાજ્યમાં સત્તા સંઘર્ષ અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે. ઠાકરે જૂથ દ્વારા 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલો બંધારણીય બેંચને મોકલવામાં આવ્યો હતો. હવે આ મામલે આવતીકાલે બંધારણીય બેંચ સમક્ષ સુનાવણી થશે. છેલ્લી સુનાવણીમાં, ઠાકરે જૂથ વતી માંગ કરવામાં આવી હતી કે આ કેસ પાંચ સભ્યોની બંધારણીય બેંચને બદલે સાત સભ્યોની બંધારણીય બેંચને સોંપવામાં આવે.

Join Our WhatsApp Community

છેલ્લી સુનાવણીમાં શું થયું હતું?

છેલ્લી સુનાવણીમાં, ઠાકરે જૂથ વતી માંગ કરવામાં આવી હતી કે રાજ્યમાં સત્તા સંઘર્ષનો મામલો પાંચ સભ્યોની બંધારણીય બેંચને બદલે સાત સભ્યોની બંધારણીય બેંચને સોંપવામાં આવે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આ કેસમાં આગામી સુનાવણીની તારીખ 10 જાન્યુઆરી નક્કી કરી છે. જે મુજબ આવતીકાલે આ કેસની સુનાવણી થશે. આવતીકાલે યોજાનારી આ સુનાવણીમાં સત્તા સંઘર્ષ નો ઉકેલ આવશે કે કેમ તે અંગે નિર્ણય લેવામાં આવે અને કેસ સુનાવણી માટે સાત ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠમાં જશે તેવી શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો:  મહારાષ્ટ્રમાં રાજકીય નેતાઓ સાથે એકસીડન્ટની ઘટના વધી, ધનંજય મુંડે બાદ હવે આ ધારાસભ્યને નડ્યો અકસ્માત.. ટ્રકે મારી ટક્કર…

ધનુષ અને તીર પ્રતીક વિશે પણ સુનાવણીની શક્યતા

ઠાકરે જૂથ અને શિંદે જૂથ બંનેએ ધનુષ્યબાણ પ્રતીક અને શિવસેના નામનો દાવો કર્યો હતો. તેથી, ચૂંટણી પંચે આ ચિન્હ અને નામને ફ્રીઝ કરવાનો નિર્ણય લીધો હતો. કોની પાસે પક્ષનું પ્રતીક બરાબર છે તે અંગે ચૂંટણી પંચ નિર્ણય લેવા જઈ રહ્યું છે. આ કેસની પહેલી સુનાવણી ડિસેમ્બરમાં થઈ હતી. તે પછી, પંચે કહ્યું કે આગામી સુનાવણી જાન્યુઆરી મહિનામાં થશે. તે મુજબ આ કેસની આગામી સુનાવણી 12 કે 13 જાન્યુઆરીએ થવાની શક્યતા છે.

VibrantGujarat: ગુજરાતના બાગાયત ક્ષેત્રે ખુલી નવી ક્ષિતિજો: સેન્ટર ઑફ એક્સેલન્સ નવીનતાની સાથે આત્મનિર્ભરતાને આપી રહ્યા છે પ્રોત્સાહન
Adi Karmyogi Abhiyan: મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજના વિચાર સાથે તા.ર જી ઓક્ટોબરે ગુજરાતના ૧૫ જિલ્લાના ૪,૨૪૫ આદિવાસી ગામોમાં એક સાથે “મહા ગ્રામસભા” યોજાશે
Wildlife Week 2025: ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર ખાતે વિવિધ થીમ સાથે ૦૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ-૨૦૨૫’ ઉજવાશે
AGM: મહારાષ્ટ્રમાં સહકારી હાઉસિંગ સોસાયટીઓ માટે વાર્ષિક સાધારણ સભા ની સમયમર્યાદા આ તારીખ સુધી લંબાવાઈ
Exit mobile version