Site icon

શિંદે V/S ઠાકરે… મહારાષ્ટ્ર સત્તા સંઘર્ષ પર આ તારીખે થશે સુનાવણી, શું ઠાકરે જૂથની માંગ સ્વીકારાશે? 

EC rejects suggestions of final order on Shiv Sena poll symbol dispute ahead of Maha By-polls

પેટાચૂંટણી પહેલા શિવસેનાના ચૂંટણી ચિહ્ન પર વિવાદ, ECએ અંતિમ આદેશ માટેના સૂચનોને નકારી કાઢ્યા

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના રાજકારણમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે રાજકીય યુદ્ધ ચરમસીમાએ પહોંચતું જણાય છે. ધીરે ધીરે, ઠાકરે જૂથના પદાધિકારીઓ અને કાર્યકરો પણ શિંદે જૂથમાં જોડાતા જોવા મળી રહ્યા છે. ત્યારે પક્ષના નામ અને ચિહ્નને લઈને હજુ પણ ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથ વચ્ચે કેન્દ્રીય ચૂંટણી પંચ તેમજ સુપ્રીમ કોર્ટમાં લડાઈ ચાલી રહી છે. આ જ ક્રમમાં આવતીકાલે રાજ્યમાં સત્તા સંઘર્ષ અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે. ઠાકરે જૂથ દ્વારા 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલો બંધારણીય બેંચને મોકલવામાં આવ્યો હતો. હવે આ મામલે આવતીકાલે બંધારણીય બેંચ સમક્ષ સુનાવણી થશે. છેલ્લી સુનાવણીમાં, ઠાકરે જૂથ વતી માંગ કરવામાં આવી હતી કે આ કેસ પાંચ સભ્યોની બંધારણીય બેંચને બદલે સાત સભ્યોની બંધારણીય બેંચને સોંપવામાં આવે.

Join Our WhatsApp Community

છેલ્લી સુનાવણીમાં શું થયું હતું?

છેલ્લી સુનાવણીમાં, ઠાકરે જૂથ વતી માંગ કરવામાં આવી હતી કે રાજ્યમાં સત્તા સંઘર્ષનો મામલો પાંચ સભ્યોની બંધારણીય બેંચને બદલે સાત સભ્યોની બંધારણીય બેંચને સોંપવામાં આવે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આ કેસમાં આગામી સુનાવણીની તારીખ 10 જાન્યુઆરી નક્કી કરી છે. જે મુજબ આવતીકાલે આ કેસની સુનાવણી થશે. આવતીકાલે યોજાનારી આ સુનાવણીમાં સત્તા સંઘર્ષ નો ઉકેલ આવશે કે કેમ તે અંગે નિર્ણય લેવામાં આવે અને કેસ સુનાવણી માટે સાત ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠમાં જશે તેવી શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો:  મહારાષ્ટ્રમાં રાજકીય નેતાઓ સાથે એકસીડન્ટની ઘટના વધી, ધનંજય મુંડે બાદ હવે આ ધારાસભ્યને નડ્યો અકસ્માત.. ટ્રકે મારી ટક્કર…

ધનુષ અને તીર પ્રતીક વિશે પણ સુનાવણીની શક્યતા

ઠાકરે જૂથ અને શિંદે જૂથ બંનેએ ધનુષ્યબાણ પ્રતીક અને શિવસેના નામનો દાવો કર્યો હતો. તેથી, ચૂંટણી પંચે આ ચિન્હ અને નામને ફ્રીઝ કરવાનો નિર્ણય લીધો હતો. કોની પાસે પક્ષનું પ્રતીક બરાબર છે તે અંગે ચૂંટણી પંચ નિર્ણય લેવા જઈ રહ્યું છે. આ કેસની પહેલી સુનાવણી ડિસેમ્બરમાં થઈ હતી. તે પછી, પંચે કહ્યું કે આગામી સુનાવણી જાન્યુઆરી મહિનામાં થશે. તે મુજબ આ કેસની આગામી સુનાવણી 12 કે 13 જાન્યુઆરીએ થવાની શક્યતા છે.

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version