Site icon

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેર ના સંકેત. ગૃહમંત્રીના રાજીનામાની અટકળો તેજ. શરદ પવાર, અજિત પવાર અને ગૃહ મંત્રી વચ્ચે બંધબારણે બેઠક. 

બોમ્બે હાઈ કોર્ટ તરફથી ગૃહ મંત્રી સંદર્ભે સીબીઆઈને તપાસ કરવાની મંજૂરી મળતાંની સાથે જ મહારાષ્ટ્રના રાજકારણમાં ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. બોમ્બે હાઈકોર્ટના ચુકાદા પછી શરદ પવાર, અજિત પવાર અને ગૃહમંત્રી અને દેશમાં વચ્ચે નેપિયન સી રોડ ખાતે પવારના નિવાસસ્થાન સિલ્વર ઓક પર બંધબારણે બેઠક થઈ.

એવું માનવામાં આવી રહ્યું છે કે હવે ગૃહ મંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડશે. જો એવું નહીં કરવામાં આવે અને સીબીઆઈ પાક્કા પુરાવા ઓ સામે લઈને આવશે તો ઠાકરે સરકાર ઘણી મોટી મુસીબતમાં મુકાશે.

Join Our WhatsApp Community


 

બીજી તરફ વિપક્ષ પોતાની વ્યૂહરચના ઘડી કાઢી છે. વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડનવીસે આજે પત્રકાર પરિષદને સંબોધિત કરીને મુખ્યમંત્રીને અનેક સવાલો પૂછ્યા હતા તેમ જ ગૃહમંત્રીના રાજીનામાની માગણી કરી હતી.

આમ મહારાષ્ટ્રના રાજકારણમાં હવે ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. કોઈપણ નેતા અત્યારે બોલવા માટે તૈયાર નથી. આથી લાગી રહ્યું છે કે લોકડાઉન ના સમયગાળામાં ઉદ્ધવ ઠાકરે એ કોઈ મોટું પગલું ભરવું પડશે.

 

LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Exit mobile version