મહારાષ્ટ્ર સરકારનો નવો નિયમ : હવે 18 જિલ્લાઓમાં કોરોનાનો ઘરેલુ ઉપચાર બંધ; ફરજિયાત આ કરવું જ પડશે…

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 25 મે 2021

મંગળવાર

મહારાષ્ટ્ર સરકારે કોરોનાને લઈને નવી ગાઇડલાઇન જાહેર કરી છે. હવે નવા દર્દીઓને કોવિડ કૅર સેન્ટરમાં જવું પડશે, એટલે કે હોમ આઇસોલેશનની સગવડ સમાપ્ત કરી દેવામાં આવી છે.

સરકારને ધ્યાનમાં આવ્યું હતું કે હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓને કારણે અનેક ઠેકાણે કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કોલ્હાપુર, સાંગલી, સતારા, યવતમાલ, અમરાવતી, રત્નાગિરિ, સિંધુદુર્ગ, સોલાપુર, અકોલા, બુલઢાણા, વાશીમ, બીડ, ગઢચિરોલી, અહમદનગર અને ઉસ્માનાબાદ જિલ્લાઓમાં હોમ આઇસોલેશન બંધ કરી દેવામાં આવ્યું છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More