દિલ્હી શેનું વારંવાર જામ કરો છો? હાંકી કાઢો આ બધાં ને. આવી ગયો આદેશ. જાણો વિગત.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 01 ઓક્ટોબર, 2021 

શુક્રવાર 

કિસાન આંદોલનને કારણે બંધ દિલ્હીના રસ્તાઓને ખોલવામાં નિષ્ફળતા પર આજે સુપ્રીમ કોર્ટે સરકારને ફટકાર લગાવી છે. 

કોર્ટે કહ્યુ કે, હાઇવેને કાયમી ધોરણે બ્લોક ન કરી શકાય. કાયદા વ્યવસ્થાનો અમલ કરવો તે સરકારની જવાબદારી બને છે. 

આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ હાઇવેને ખોલવાની છુટ પણ આપી દીધી છે.  

કોર્ટે સરકારને એમ પણ કહ્યું કે, તે આંદોલનકારી નેતાઓના મામલામાં પક્ષ બનાવવા માટે અરજી આપે, જેથી આદેશ આપવા પર વિચાર કરી શકાય. 

સરકારને અગાઉ સુપ્રીમે આંદોલનો દ્વારા થતા હાઇવે જામનું નિરાકરણ લાવવા પણ કહ્યું હતું. 

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓનો વિરોધ કરવા ખેડૂતો ગયા વર્ષ નવેમ્બર મહિનાથી દિલ્હીની અલગ અલગ સરહદો પર ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. 

જેને પગલે અનેક રૂટને ડાયવર્ટ પણ કરવા પડી રહ્યા છે અને અનેક સ્થળે ટ્રાફિક જામ થઇ રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે નોઇડાના રહેવાસી મહિલા મોનિકા અગ્રવાલ તરફથી દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી હતી. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More