આતંકી સંગઠને આ રાજ્યના મુખ્યમંત્રીને 15 ઓગસ્ટે તિરંગો ફરકાવવા પર આપી ધમકી, પોલીસે લીધા આ પગલાં  ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ખાલિસ્તાની સમર્થક સંગઠન શીખ ફોર જસ્ટિસ તરફથી હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીને તિરંગો નહીં ફરકાવા દેવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર ઓસ્ટ્રોલિયાના ન્યૂકૈસલે એક નંબરથી સ્થાનિક પત્રકારોને એક ઓડિયો સંદેશ મોકલ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે હિમાચલ પંજાબનો ભાગ હતો. તેવામાં સીએમ જયરામ ઠાકુરે 15 ઓગસ્ટે તિરંગો ફરકાવવા નહીં દેવામાં આવે. 

આ ધમકી ભર્યો મેસેજ મળ્યા બાદ પોલીસે રાજ્યપાલ, સીએમ જયરામ, જેપી નડ્ડા, અનુરાગ ઠાકુરની સુરક્ષામાં વધારો કર્યો છે.  

સ્વતંત્રતા દિવસને લઈને અતિરિક્ત સુરક્ષા કર્મી તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા અને કાયદાકીય વ્યવસ્થા કાયમ રાખવા માટે ઉપાય કરવામાં આવ્યા છે.

હાલ આ મામલાની તપાસ સીઆઈડીના સાઈબર સેલને સોંપવામાં આવી છે.

અરે વાહ, શું વાત છે! મુંબઈ કોરોના રસીકરણ અભિયાન રેસમાં શહેરના આ કેન્દ્રએ મારી બાજી, અત્યાર સુધીમાં આટલા લાખ લોકોને આપી રસી

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More