Site icon

ગુજરાતના નળસરોવર પક્ષી અભ્યારણ્યમાંના 16 દુર્લભ વિદેશી પક્ષીઓ સાથે શિકારી ઝડપાયો..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ

Join Our WhatsApp Community

11 નવેમ્બર 2020 

વિરમગામ નજીક આવેલા પ્રખ્યાત નળ સરોવર પક્ષી અભ્યારણ્ય પાસેથી વન વિભાગની ટીમે 16 પક્ષીઓ સાથે એક શિકારીને ઝડપી પાડયો હતો. શિકારી પાસેથી પકડાયેલા 16 ગાર્ગી પક્ષીઓ પૈકી 11 મૃત હાલતમાં હતા અને પાંચ જીવીત હતા. ઉલ્લેખનીય છે કે ગાર્ગની બતક યુરોપના વતની છે, પરંતુ શિયાળા દરમિયાન ઠંડીથી બચવા માટે તે એશિયામાં સ્થળાંતર કરે છે. ત્યારે શિયાળાના આગમન સાથે પ્રખ્યાત પક્ષી અભયારણ્ય નળ સરોવરમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી પક્ષી અભ્યારણ્યમાં શિકારની પ્રવૃત્તિઓએ માઝા મૂકી છે.

વન અધિકારીએ જણાવ્યું હતું કે, “16 ગાર્ગનીઓમાંથી જે પાંચ જીવંત હતા તેઓને ખુલ્લામાં મુકત કરવામાં આવ્યા છે. દરમિયાન મૃત મળી આવેલા અન્ય 11 પક્ષીઓને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદના બોડકદેવ સ્થિત વન્યપ્રાણી સંભાળ કેન્દ્ર લઈ જવાયા છે. શિકારીની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપી પર વન્યજીવ અધિનિયમ ૧૯૭૨ અન્વય પ્રકારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધનીય છે કે વિરમગામ નજીક આવેલા પ્રખ્યાત પક્ષી અભ્યારણમાં દર વર્ષે શિયાળાની શરૂઆતમાં વિવિધ પ્રજાતિઓના પક્ષીઓ આવે છે. જેે નજારો માણવા દર વર્ષે લાખો પ્રવાસીઓ નળસરોવરની મુલાકાત લે છે ત્યારે બીજી બાજુ આ વિદેશી પક્ષીઓનો શિકાર કરતા શિકારીઓ પણ ઝડપાતા હોય છે. નળ સરોવર પક્ષી અભ્યારણ ખાતે રેન્જનો સ્ટાફ દ્વારા અભયારણ્યમાં તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે શિકારી પાસેથી  પ્લાસ્ટિકના થેલામાંથી 11 મૃત અને પાંચ જીવંત ગાર્ગી પક્ષીઓ, એમ કુલ મળીને 16 પક્ષી મળી આવ્યા હતા.   

Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં પ્રથમ નોરતે અંગદાનથી જીવનદાન
Punjab Railway Development: પંજાબ માટે મેજર રેલ ડેવલપમેન્ટ નવી રેલ લાઇન અને વંદે ભારત એક્સપ્રેસ
Swachhata Hi Seva 2025: વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ મંડળ નવીનતા માં અગ્રણી
Exit mobile version