Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં વાવાઝોડાનો ભય, ધારા 144 લાગુ, પવનના સૂસવાટા સાથે ઠેરઠેર ઝાપટાં પડ્યા

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

3 જુન 2020

આજ સવારથી મુંબઈ શહેરમાં ક્યાંક મુશળધાર વરસાદ તો કયાંક છુટા છવાયા ઝાપટા પડી રહ્યા છે. બીજી બાજુ પવનના સૂસવાટા થી વાતાવરણ ધૂંધળું બન્યું છે. જોકે ઝાડ, થાંભલા પડવા કે કશે પણ કોઈ ગમખ્વાર ઘટના  જોવા નથી મળી અને આમ એકંદરે મુંબઈમાં અને પરા વિસ્તારમાં પરિસ્થિતિ નિયંત્રણમાં રહે એ માટે ધારા 144 એટલે કે કરફ્યુ, મહારાષ્ટ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યું છે. દરિયાકાંઠે વસતા એક લાખથી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

 જ્યારે કામ ચલાઉ ઉભા કરાયેલા કોવિડ સેન્ટરમાં ભરતી થયેલા કોરોના ના દર્દીઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હવામાન ખાતાનું કહેવું છે કે બપોરે એક વાગ્યાની આસપાસ નિસર્ગ નામનું વાવાઝોડું અલીબાગ પર ત્રાટકવાની સંભાવના છે અને તેની તીવ્ર અસર મુંબઈ પર દેખાશે, આથી જ મુંબઈગરાઓ ને તમામ જરૂરી સલામતી પગલાં લેવાની સરકાર અને હવામાન ખાતા દ્વારા ચેતવણી આપવામાં આવી છે.

 આમ અરબ સાગરમાં લો પ્રેશર ને કારણે આ વાવાઝોડાની અસર મુંબઈમાં થાણા, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ એમ પાંચ જિલ્લાઓમાં થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે આજથી 129 વર્ષ પહેલાં 1891 માં મુંબઈએ ચક્રવાતનો સામનો કર્યો હતો..

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version