Site icon

રાજનૈતિક સવાલ પૂછાયો : મુંબઈ શહેરમાં સંક્રમણ વધે તો લોકો જવાબદાર અને ઘટે તો ઠાકરે સરકારના સારા કામ!!! આવું કેમ?

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે 2021
મંગળવાર

મહારાષ્ટ્રમાં સોમવારે કોરોના સંપૂર્ણ રીતે કાબૂમાં આવી ગયો હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. આવા સમયે રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન તાક્યું છે. પાર્ટીના પ્રવક્તા સંદીપ દેશપાંડેએ સવાલ પૂછ્યો છે કે જો મુંબઈ શહેરમાં સંક્રમણ વધી જાય તો તેની માટે લોકોનું બેજવાબદાર વર્તન કારણભૂત માનવામાં આવે છે. પરંતુ જો મુંબઈ શહેરમાં પરિસ્થિતિ સુધરી જાય તો તેનો શ્રેય રાજ્ય સરકાર લઈ જાય છે. આવું શા માટે? હકીકત એ છે કે મહારાષ્ટ્રમાં મોજુદા સરકાર  અસફળ ગઈ છે. તેમજ લોકોની સુવિધા પ્રત્યે અને વેક્સિનેશન સંદર્ભે કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. આવી પરિસ્થિતિમાં ઠાકરે સરકાર ને શ્રેય આપવાની કોઈ જરૂર નથી.

Join Our WhatsApp Community

ભારતમાં વેક્સીનની અછત છતાં સીરમ ઇન્સ્ટીટયુટે આટલા લાખ ડોઝ બ્રિટન મોકલવાની પરવાનગી માગી; જાણો કેન્દ્ર સરકારે શું કહ્યું

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકાર પર ભારતીય જનતા પાર્ટી પહેલેથી સવાલ ઉઠાવી રહી છે. હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ પ્રશ્નો ઉચક્યા છે.

Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Konkan Crabs: પ્રદૂષણના કારણે કોંકણના કરચલાઓનો જીવ જોખમમાં; જો દરિયાઈ જૈવવિવિધતા ટકાવવામાં ન આવે તો
Sharad Pawar: અંબાણી ના પીએમ નરેન્દ્ર મોદીને ‘અવતાર પુરુષ’ કહેવા પર શરદ પવારે કરી આવી વાત
Maharashtra rain damage: મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, ૧૮ લાખ હેક્ટરથી વધુ પાકને ફટકો
Exit mobile version