Site icon

રાજનૈતિક સવાલ પૂછાયો : મુંબઈ શહેરમાં સંક્રમણ વધે તો લોકો જવાબદાર અને ઘટે તો ઠાકરે સરકારના સારા કામ!!! આવું કેમ?

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે 2021
મંગળવાર

મહારાષ્ટ્રમાં સોમવારે કોરોના સંપૂર્ણ રીતે કાબૂમાં આવી ગયો હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. આવા સમયે રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન તાક્યું છે. પાર્ટીના પ્રવક્તા સંદીપ દેશપાંડેએ સવાલ પૂછ્યો છે કે જો મુંબઈ શહેરમાં સંક્રમણ વધી જાય તો તેની માટે લોકોનું બેજવાબદાર વર્તન કારણભૂત માનવામાં આવે છે. પરંતુ જો મુંબઈ શહેરમાં પરિસ્થિતિ સુધરી જાય તો તેનો શ્રેય રાજ્ય સરકાર લઈ જાય છે. આવું શા માટે? હકીકત એ છે કે મહારાષ્ટ્રમાં મોજુદા સરકાર  અસફળ ગઈ છે. તેમજ લોકોની સુવિધા પ્રત્યે અને વેક્સિનેશન સંદર્ભે કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. આવી પરિસ્થિતિમાં ઠાકરે સરકાર ને શ્રેય આપવાની કોઈ જરૂર નથી.

Join Our WhatsApp Community

ભારતમાં વેક્સીનની અછત છતાં સીરમ ઇન્સ્ટીટયુટે આટલા લાખ ડોઝ બ્રિટન મોકલવાની પરવાનગી માગી; જાણો કેન્દ્ર સરકારે શું કહ્યું

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકાર પર ભારતીય જનતા પાર્ટી પહેલેથી સવાલ ઉઠાવી રહી છે. હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ પ્રશ્નો ઉચક્યા છે.

LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Exit mobile version