News Continuous Bureau | Mumbai
આસામમાં(Assam) ગત એક મહિનાથી આતંકવાદી(Terrorist) વિરોધી કાર્યવાહી એ જોર પકડ્યું છે જે અંતર્ગત બોંગાઈ ગામ વિસ્તારમાં (Bongai village area) આવેલી મસ્જિદ(Masjid) ને તોડી પાડવામાં આવી છે. આ ઉપરાંત આ મસ્જિદમાં કામ કરી રહેલા ૩૭ જેટલા શિક્ષકોની ધરપકડ કરવામાં આવી છે. એક મહિના દરમિયાન આવી ત્રણ મદરેસાઓ તોડી પાડવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓને(security agencies) ઇનપુટ મળ્યા હતા કે આ મદરેસાઓનો સંબંધ અલકાયદા આતંકવાદી(Al Qaeda terrorist) સંગઠન સાથે છે. ત્યાર બાદ તપાસમાં અનેક તથ્યો સામે આવ્યા હતા. આ તથ્યો સામે આવ્યા પછી સરકારે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી. પ્રાપ્ત જાણકારી મુજબ આવનાર દિવસોમાં બીજા અનેક સંગઠનો નો પર્દાફાશ થઇ શકે છે.
આ સમાચાર પણ વાંચો : તો પછી એક-બે દિવસ માંસાહાર ન કરો- ગુજરાત હાઈકોર્ટે યાચિકાકર્તાઓને ફટકાર્યા