Site icon

મુંબઈવાસીઓ 48 કલાક માટે ભારે વરસાદ ખમવા તૈયાર રહો.. ઓરેન્જ એલર્ટ જારી કરાયું..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

15 જુલાઈ 2020

હવામાન વિભાગે 16 જુલાઈ સુધી મુંબઈ શહેરમાં ભારે વરસાદનો વરતારો કર્યો છે. એટલે કે હવે 48 કલાક સુધી મુંબઈ શહેરમાં ધોધમાર વરસાદ ચાલુ જ રહેશે. જો કે રવિવારની તુલનાએ વરસાદ થોડો ઓછો હશે પરંતુ હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરી દેવાયું છે. હવામાન વિભાગ એ આગાહી કરી છે કે મુંબઇની સાથે જ થાણે અને રાયગઢના ભાગોમાં ભારેથી-અતિ ભારે વરસાદની આગાહી છે.

આઇએમડી દ્વારા રાજ્યના 15 થી વધુ જિલ્લાઓ માટે ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં કોલ્હાપુર, પુના, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, સાતારા, સાંગલી, સોલાપુર, પરભણી, બીડ, હિંગોલી, નાંદેડ, લાતુર અને ઉસ્માનબાદનો સમાવેશ થાય છે.

આઇએમડી કોલાબા અને સાન્તાક્રુઝ વેધશાળાઓએ શનિવારે સવારે 8.30 થી 8.30 વાગ્યા દરમિયાન 0.2 મીમી અને 4.9 મીમીનો વરસાદ નોંધ્યો હતો. જ્યારે  કોલાબા અને સાન્તાક્રુઝ વેધશાળાઓમાં નોંધાયા મુજબ આ સિઝનમાં કુલ વરસાદ એક હજાર મીમીનો આંકડો પાર કરી ગયો છે..

મુંબઈમાં આજે મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ છે જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સે. રહેશે. શહેરમાં અને ઉપનગરોમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ જોવા મળશે સાથે જ ભેજવાળુ હવામાન રહેશે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2WjakqN 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version