Site icon

સાત પેંગ્વિન માટે ૧૫ કરોડનો ખર્ચ કેમ? વિપક્ષે માગ્યો જવાબ; જાણો શું છે મામલો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

 વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાનના પેંગ્વિનોના આરોગ્ય અને પેંગ્વિન કક્ષની દેખભાળ માટે પ્રાણી સંગ્રહાલયે ૩૬ મહિના માટે ૧૫ કરોડ રૂપિયાની કૉન્ટ્રૅક્ટ પ્રક્રિયા શરૂ કરી છે, પણ ત્રણ વર્ષ પહેલાં આ જ ૩૬ મહિનાના કૉન્ટ્રૅક્ટ માટે ૧૦ કરોડ રૂપિયાનું અધિદાન કરાયું હતું. અત્યારે આર્થિક મંદીનો માહોલ હોવા છતાં કૉન્ટ્રૅક્ટની કિંમતમાં ૫૦ ટકાનો વધારો કેમ થયો? એનો જવાબ પ્રશાસન પાસે પાલિકાના ભાજપના નેતા પ્રભાકર શિંદેએ માગ્યો છે.

શિંદેએ કહ્યું હતું કે પેંગ્વિનની દેખભાળ કરવા માટે આપણી પાસે પશુ તજજ્ઞ અધિકારીઓ ઉપલબ્ધ છે. તેમ જ પેંગ્વિન કક્ષ માટે મહાપાલિકાના એન્જિનિયર અને કર્મચારીઓ ઉપલબ્ધ છે, તો કૉન્ટ્રૅક્ટરનાં ખિસ્સાં ભરવાં માટે જ આ કૉન્ટ્રૅક્ટ કાઢ્યો છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 

આઘાતજનક! મલાડમાં ગેરકાયદે બાંધકામ માટે દિનદહાડે ઝાડની કતલ, વૃક્ષનું મૂળિયાથી નિકંદન કરવા થડમાં ડ્રીલિંગ કરીને અપાયું ઝેર; જાણો વિગત 

કોરોના દરમિયાન થયેલો ૫,૦૦૦ કરોડનો ખર્ચ , લૉકડાઉન અને આર્થિક મંદીને લીધે પાલિકાની ઘટેલી કમાણી, એ પહેલાં પાલિકાએ હાથમાં લીધેલા મોટા પ્રોજેક્ટને લીધે મહાનગરપાલિકાનો આર્થિક હિસાબ બગડ્યો છે. એથી રસ્તા, ઉદ્યાનો જેવાં કેટલાંક કાર્યો પર કાતર ચલાવાઈ છે, ત્યારે પેંગ્વિનની દેખભાળ માટે ૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ એટલે કે સફેદ હાથી પાળવા બરાબર છે. આર્થિક અડચણના કાળમાં પાલિકાએ પોતાની પ્રાથમિકતાઓ નક્કી કરવી જરૂરી છે. આ કૉન્ટ્રૅક્ટ રદ કરીને આ કામ વિભાગ અંતર્ગત ઉપલબ્ધ મેડિકલ અધિકારીઓ અને કર્મચારીઓ પાસે કરાવવું જોઈએ એવો મત શિંદેએ વ્યક્ત કર્યો હતો.

Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Sharad Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! NCP વિલય મુદ્દે શરદ પવારે ફડણવીસને આપ્યો જડબાતોડ જવાબ, સુનેત્રા પવાર વિશે આપ્યું મોટું નિવેદન
Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Exit mobile version