Site icon

મહારાષ્ટ્રના આ જિલ્લામાં આદમખોર વાઘનો આતંક : અત્યાર સુધી આટલા લોકોને ફાડી નાખ્યા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

 

મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં આદમખોર વાઘે હાહાકાર મચાવ્યો છે. આ વાઘને કારણે સ્થાનિક લોકોમાં ડરનો માહોલ વ્યાપી ગયો છે. અત્યાર સુધી આ વાઘે ૧૫ લોકોને ફાડી ખાધા છે. વાઘના આતંકને કારણે સ્થાનિક પ્રશાસન પણ દોડતું થઈ ગયું છે. વાઘ પકડવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે. જે રોજના ૪૦ કિલોમીટર પગપાળા ચાલીને વાઘને શોધી રહી છે. ભારે પ્રયાસ બાદ પણ વાઘ હાથમાં આવતો નથી. વાઘનું પગેરું મેળવવા માટે જંગલમાં ૧૫૦ કૅમેરા પણ બેસાડવામાં આવ્યા છે. સ્થાનિક નાગરિકોની પણ મદદ લેવામાં આવી રહી છે.

‘નો વેકસીન નો એન્ટ્રી’, ગુજરાતના આ શહેરમાં હોટલ-રેસ્ટોરન્ટમાં જવા માટે વેક્સિન સર્ટિફિકેટ ફરજીયાત; જાણો વિગતે

એક અંદાજ મુજબ ગઢચિરોલીના જંગલમાં ૩૨ વાઘ છે. એથી લોહી ચાખી ગયેલા વાઘને પકડવો મુશ્કેલ થઈ ગયું છે. વાઘને શોધવા ડ્રૉનની પણ મદદ લેવામાં આવી રહી છે. જોકે સતત વરસાદને કારણે મુશ્કેલી આવી રહી છે. સ્થાનિક પ્રશાસને ગ્રામીણ વિસ્તારમાં સ્થાનિક રહેવાસીઓને શક્ય હોય તો ૧૫ દિવસ બહાર ન નીકળવાની સલાહ આપી છે.

Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Nashik leopard: નાસિક શહેરમાં ભર દિવસે દીપડાનો આતંક; એક વન અધિકારી ઘાયલ
Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Exit mobile version