Site icon News Continuous Bureau | Mumbai

ગાંધી બાપુના ગુજરાતમાં જ તેમનું અપમાન: હિંદુ સેનાએ સ્થાપી ગોડસેની પ્રતિમા, કોંગ્રેસે તેને તોડી પાડી; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 16 નવેમ્બર  2021 
મંગળવાર. 

દેશન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન કરવાની અને તેમના હત્યારા ગોડસેને મહાન બનાવવાની જાણે ફેશન બની ગઈ છે. ગાંધીબાપુના ગુજરાતમાં જ  તેમના અપમાનની ઘટના બની છે. જેમા તેમના હત્યારા નથુરામ ગોડસેની પ્રતિમાને લઈને ફરી વિવાદ થયો છે. સોમવારે ગુજરાતમાં હિંદૂ સેના તરફથી ગોડસેની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. તેને પગલે ઉશ્કેરાયેલા કોંગ્રેસી કાર્યકર્તાઓએ તેને તોડી પાડી હતી.

Join Our WhatsApp Channel

ગુજરાતથી મુંબઈ આવતી ટ્રેનોમાં ભીખારી અને હિજડાઓનો આતંક, પ્રવાસીઓ હેરાન-પરેશાન; જુઓ તસવીરો અને જાણો વિગત.

મહાત્મા ગાંધીની હત્યા કરનારા નથુરામ ગોડેસેને 10 ફેબ્રુઆરી 1949માં ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ 15 નવેમ્બર 1949માં તેને ફાંસીને માંચડે ચઢાવવામા આવ્યો હતો, તેની યાદમા જામનગરમાં ગોડસેની પ્રતિમા બેસાડવામાં આવી હતી. હિંદુ સેનાએ 8 ઓગસ્ટના જ નથૂરામ ગોડસેની પ્રતિમા બેસાડવાની જાહેરાત કરી હતી. જોકે સ્થાનિક પ્રશાસને મંજૂરી નહીં આપતા જામનગરમાં હનુમાન આશ્રમમાં પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. કોંગ્રેસી કાર્યકર્તા જોકે ઉશ્કેરાઈ ગયા હતા અને તેઓએ આશ્રમ જઈને ગોડસેની પ્રતિમાને તોડી પાડી હતી.

Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Nallasopara Drug Seizure Foreign Woman Arrested નાલાસોપારામાં ડ્રગ્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી, અધધ ₹૪.૮૩ કરોડના MDMA અને કોકેન સાથે વિદેશી મહિલા ઝડપાઇ
Vasai Virar VBA Leaders Detention મહારાષ્ટ્ર બંધ કરાવવા નીકળેલા નેતાઓ જેલ હવાલે! વિરારવસઈમાં ભારે તણાવ વચ્ચે VBA ના પદાધિકારીઓની અટકાયત!
Bharat Taxi App Grand Launch મહારાષ્ટ્રમાં ‘ભારત ટેક્સી એપ’નું ભવ્ય લોન્ચિંગ, કેબ અને ઓટો ચાલકો સહિત મુસાફરોને મળશે મોટો ફાયદો
Exit mobile version