Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં ઑનલાઇન શિક્ષણના બાર વાગ્યા; 71,000 શાળાઓમાં ઇન્ટરનેટ જ નથી, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૭ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર                                                                                                                                                                                            કોરોના મહામારીને પગલે છેલ્લા દોઢ વર્ષથી મહારાષ્ટ્રમાં ઑનલાઇન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. રાજ્યના શાળેય શિક્ષણ ખાતાના આ દાવાનો જોકે હાલમાં જ યૂ-ડાયસ પ્લસના અહેવાલે પડદા ફાશ કરી નાખ્યો હતો. તાજા અહેવાલ મુજબ મહારાષ્ટ્રની એક લાખ શાળામાંથી 71,000 શાળામાં ઇન્ટરનેટની સુવિધા જ ઉપલબ્ધ ન હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. છેલ્લા દોઢ વર્ષમાં શાળાઓએ બાળકોને ઑનલાઇન શિક્ષણ કેવી રીતે આપ્યું? એવા સવાલો થઈ રહ્યા છે.

દેશની દરેક શાળામાં રહેલી સુવિધાઓ બાબતે કેન્દ્રીય શિક્ષણ ખાતાએ માહિતી એકઠી કરી હતી. યૂ-ડાયસ પ્લસ આ સિસ્ટમમાં નાખવામાં આવેલા ડેટાને હાલમાં જ કેન્દ્રીય શિક્ષણપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા.

રાજધાની દિલ્હીમાં અપરાધની વધુ એક ઘટના આવી સામે, આ પૂર્વ કેન્દ્રીય મંત્રીની પત્નીની ઘરમાં ઘૂસીને હત્યા, પોલીસે શરૂ કરી તપાસ 

આ અહેવાલ મુજબ દેશમાં 15 લાખ શાળા છે. એમાંથી ફકત 3,35, 882 શાળામાં જ ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે. મહારાષ્ટ્રમાં 1,10,229 શાળામાંથી ફક્ત 39,140 શાળામાં જ ઇન્ટરનેટ ઉપલબ્ધ છે. જે માત્ર 35.39 ટકા છે. રાજ્યની 71,214 શાળામાં ઇન્ટરનેટની સુવિધા જ નથી, તો 31,890 શાળામાં સાદું કૉમ્પ્યુટર પણ નથી. છતાં વિદ્યાર્થીઓને ઑનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું હોવાનો સરકાર દાવો કરી રહી છે.

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version