લો બોલો! ગ્રાહકોને બદલે રાજયના આ વીજ એકમો બારોબાર વીજળી વેચી મારતા હોવાનો વીજ મંત્રાલયનો ચોંકાવનારો આરોપ; જાણો વિગત.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 ઓક્ટોબર,  2021 

બુધવાર.

ચીન બાદ ભારતમાં પણ બરોબરની તહેવારની મોસમમાં કોલસાની અછતને પગલે ગંભીર વીજ સંકટ નિર્માણ થયું છે. એવામાં અમુક રાજયના વીજ ઉત્પાદન એકમો ગ્રાહકોને વીજળી પૂરી પાડવાને બદલે ઊંચા ભાવે પાવર એક્સચેન્જને વીજળી વેચી મારતા હોવાનો ચોંકાવનારો આરોપ કેન્દ્રના વીજ મંત્રાલયે કર્યો છે.

તહેવારોમાં વીજળીનો વપરાશ વધી જતો હોય છે. તેવામાં દેશમાં કોલસાની અછતને પગલે ગંભીર વીજ કટોકટી ઊભી થઈ છે. ત્યારે કેન્દ્ર સરકારે દેશના વીજ એકમોને કોલસો પૂરી પાડનારી કોલ ઈન્ડિયાને તહેવારો દરમિયાન દૈનિક 1.55થી 1.66 મિલિયન ટનને બદલે 20 ઓક્ટોબર પછી દૈનિક 1.70 મિલિયન ટન કોલસો પૂરો પાડવાનો આદેશ આપ્યો છે.

મુંબઈગરાના પરસેવાની કમાણી કોન્ટ્રેક્ટરના ખિસ્સામાં સમાણીઃ જમ્બો કોરોના સેન્ટર માટે ખાનગી સંસ્થાને પાલિકા આપશે આટલા કરોડ રૂપિયા.જાણો વિગત.
 

વીજ કટોકટીના સંકટ વચ્ચે મંગળવારે વીજ મંત્રાલયે કહ્યું હતું કે તહેવાર હોવાથી વીજળીની ડિમાન્ડ વધુ છે. તેની સામે કોલસાની અછતને કારણે વીજ ઉત્પાદન ઘટી જવાથી વીજળીના ભાવમાં તીવ્ર વધારો થયો છે. એવામાં ધ્યાનમાં આવ્યું છે કેટલાક રાજયોમાં વીજ એકમો વીજ કાપ મુકીને તેમના ગ્રાહકોને વીજળી પૂરી પાડતા નથી. ગ્રાહકોને બદલે ઊંચા ભાવે પાવર એક્સચેન્જને તેઓ વીજ વેચી રહ્યા છે.

વીજ મંત્રાલયે રાજયના વીજ એકમોને ચેતવણી પણ આપી હતી કે જો કોઈ રાજયએ ગ્રાહકોને વીજળી આપવાને બદલે સીધી પાવર એક્સચેન્જને ઊંચા ભાવે વીજળી વેચી હોવાનું જણાશે. તો આવા રાજયોને કેન્દ્રના ક્વોટામાંથી ફાળવવામાં આવતી વીજનો ક્વોટો પાછો ખેંચી લેવામાં આવશે અને અન્ય રાજયોને આપવામાં આવશે.

અહીં ઉલ્લેખનીય છે કે દેશમાં 70 ટકા વીજ ઉત્પાદન કોલસા આધારિત છે. વીજ એકમોને 80 ટકા કોલસો સરકારી કંપની કોલ ઈન્ડિયા પૂરો પાડે છે.  

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More