News Continuous Bureau | Mumbai

Jagadguru Narendracharya Maharaj : જગદગુરૂ નરેન્દ્રાચાર્ય માટે અપશબ્દોનો ઉપયોગ કરનારા વેડેટ્ટીવાર સામે અનુયાયીઓનો જનઆક્રોશ

Jagadguru Narendracharya Maharaj : ઉપનગરીય સહ-પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાની આગેવાનીમાં કલેક્ટર સમક્ષ ફરિયાદ કરાઇ

News Continuous Bureau | Mumbai

Jagadguru Narendracharya Maharaj : જગદગુરૂ નરેન્દ્રાચાર્ય વિશે અભદ્ર ટિપ્પણી કરનારા કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવાર સામે નરેન્દ્રાચાર્ય મહારાજનાં અનુયાયીઓમાં આક્રોશ ફેલાયો છે. મુંબઇનાં ઉપનગરીય સહ-પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાની ઉપસ્થિતીમાં આજે અનુયાયીઓઐ જિલ્લા કલેક્ટર કચેરીએ જઇને નિવેદન આપ્યું હતું. અને ફરિયાદ નોંધાવી હતી. મંત્રી મંગલ પ્રભાત લોઢાએ કહ્યું કે આ અંગે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ ઉપરાંત અનુયાયીઓએ વિજય વડેટ્ટીવાર જાહેરમાં માફી માંગે એવી માગણી પણ કરી હતી. . 

Join Our WhatsApp Channel

Jagadguru Narendracharya Maharaj Followers of Jagadguru Narendracharya Maharaj protest against Congress leader Vijay Wadettiwar's alleged derogatory remarks 

જગદગુરુ નરેન્દ્રચાર્ય મહારાજ વિશે અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવાર સામે ગુસ્સે ભરાયેલી પ્રતિક્રિયા આવી છે. નરેન્દ્રચાર્ય મહારાજના અનુયાયીઓની ભાવનાઓને ઠેસ પહોંચી હોવાથી  તેઓ  આજે મુંબઈ ઉપનગરીય જિલ્લાના સંયુક્ત પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાની આગેવાનીમાં , અનુયાયીઓએ જિલ્લા કલેક્ટર કચેરીમાં નિવેદન રજૂ કર્યું અને ફરિયાદ નોંધાવી હતી. 

આ સમાચાર પણ વાંચો: RBI એ ન્યૂ ઈન્ડિયા કો-ઓપ બેન્કના ગ્રાહકોને મોટી રાહત આપી, જમા ખાતામાંથી 25,000 રૂપિયા સુધી ઉપાડવાની આપી મંજૂરી

આ સમયે મંત્રી મંગલ પ્રભાત લોઢાએ કહ્યું,હતું કે  “વિજય વડેટ્ટીવાર અને તેમના સાથીદારોને હિન્દુ ધર્મ, શ્રદ્ધા અને ગુરુઓ વિશે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાની લાંબા સમયથી આદત છે. પરંતુ આ વખતે આપેલું નિવેદન અક્ષમ્ય છે અને તેનાથી સમગ્ર મહારાષ્ટ્રમાં ગુસ્સાની લહેર ફેલાઈ ગઈ છે. મેં વિજય વડેટ્ટીવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સંપર્ક થઈ શક્યો નહીં. હવે હું તેમને રૂબરૂ મળીશ અને માફી માંગવા માટે કહીશ. નરેન્દ્રચાર્ય મહારાજે હિન્દુ ધર્મ અને સમાજ માટે જે મહાન યોગદાન આપ્યું  છે તેની કદાચ  વિજય વડેટ્ટીવારને જાણ નહી હોય. સમાજ સેવી સંસ્થા દ્વારા તેમણે દેશ અને વિદેશમાં જે જાહેર સેવાઓ કરી છે તે તેની પણ નોંધ લેવી જોઇએ. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Gujarat Dam Water Levels Rise ભારે વરસાદ બાદ ગુજરાતના જળાશયોમાં જળરાશિની ભરપૂર આવક સરદાર સરોવર સહિત રાજ્યના ડેમો છલકાયા
Sanjay Raut On Disha Salian Case દિશા સાલિયાન કેસમાં નવો વળાંક આદિત્ય ઠાકરેને નોટિસ પહેલાં સંજય રાઉતનું મોટું નિવેદન, ઠાકરે પરિવાર…
Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Exit mobile version