263
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે.
કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 3 આતંકીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા છે.
સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા આ ત્રણ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા (LeT આતંકવાદીઓ)ના હોવાનું કહેવાય છે.
એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો સહિત ઘણી વાંધાજનક સામગ્રી મળી આવી છે.
કુપવાડાના જુમાગુંડ ગામમાં આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસની ચોક્કસ માહિતી મળ્યા બાદ પોલીસે ઓપરેશન શરૂ કર્યું હતું જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે.
આ પહેલા બુધવારે બારામુલાના કરેરી વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં સુરક્ષા દળોએ બારામુલામાં 3 આતંકીઓને ઠાર કર્યા હતા. આતંકીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો :
You Might Be Interested In