Site icon News Continuous Bureau | Mumbai

જાવેદ અખ્તર ઉવાચ- બિલકિસ બાનો કેસમાં આપી તીખી પ્રતિક્રિયા

News Continuous Bureau | Mumbai

ગુજરાત સરકારે(Gujarat Govt) જે રીતે બિલકિસ બાનો બળાત્કાર(Bilkis Bano Rape Case) અને પરિવારના સભ્યોની હત્યાના ૧૧ દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે તેની સર્વત્ર ટીકા થઈ રહી છે. જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે(Lyricist Javed Akhtar) ગુજરાત સરકારના આ નિર્ણયની ટીકા કરી છે. 

Join Our WhatsApp Channel

ટિ્‌વટર(Twitter) પર સરકારના ર્નિણયની ટીકા કરતા જાવેદ અખ્તરે કહ્યું કે આપણા સમાજ સાથે ચોક્કસપણે કંઈક ગંભીર રીતે ખોટું થઈ રહ્યું છે. જાવેદ અખ્તરે ટિ્‌વટ કરીને લખ્યું કે, જેમણે ૫ મહિનાની ગર્ભવતી મહિલા(pregnant woman) પર બળાત્કાર કર્યો, તેના પરિવારના ૭ સભ્યોની હત્યા કરી. આ લોકોએ ૩ વર્ષની માસૂમ બાળકીની પણ હત્યા કરી હતી. આ તમામ લોકોને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, જેલમાંથી મુક્ત થયા બાદ તેને મીઠાઈઓ વહેંચવામાં આવી હતી, હાર પહેરાવવામાં આવ્યા હતા. આ લોકો ક્યાંય છુપાયેલા નથી, વિચારો, આપણા સમાજમાં કંઈક ગંભીર રીતે ખોટું થઈ રહ્યું છે. 

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ૧૧ દોષિતોની માફી પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. જે બાદ ગુજરાત સરકારે એક કમિટીની રચના કરી હતી. આ સમિતિએ આ લોકોને મુક્ત કરવાની ભલામણ કરી અને આ તમામ લોકોને મુક્ત કરવામાં આવ્યા. આ તમામ લોકોને ૨૧ જાન્યુઆરી ૨૦૦૮ના રોજ મુંબઈની સીબીઆઈ કોર્ટે (Mumbai CBI Court) આજીવન કેદની સજા (life imprisonment) ફટકારી હતી. બાદમાં બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) પણ આ નિર્ણયને યથાવત રાખ્યો હતો. આ તમામ દોષિતોએ ૧૫ વર્ષ જેલમાં વિતાવ્યા અને ત્યારબાદ આ લોકોએ સુપ્રીમ કોર્ટનો (Supreme Court) સંપર્ક કર્યો અને મુક્તિ માટે અપીલ કરી. જે બાદ કોર્ટે કેન્દ્ર સરકારને(Central Govt) આ લોકોની મુક્તિ પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે રાજ્ય સરકારને(State Govt) ૧૯૯૨ની નીતિ હેઠળ આ લોકોને માફ કરવા અને મુક્ત કરવા અંગે વિચારણા કરવા જણાવ્યું હતું. આ પછી સરકારે આ તમામ લોકોને મુક્ત કરવાનો નિર્ણય કર્યો. 

 આ સમાચાર પણ વાંચો :   આમ આદમી પાર્ટી નો મનીષ સિસોદિયા ખરો ફસાયો-હવે લુક આઉટ નોટિસ જાહેર

૩ માર્ચ ૨૦૦૨ના રોજ બિલ્કીસ બાનોના પરિવાર પર હુમલો થયો હતો. દાહોદ જિલ્લાના રણધિકપુર ગામમાં(Randhikpur village) બિલ્કીસ બાનોના ઘર પર ટોળાએ હુમલો કર્યો હતો. તે સમયે બિલ્કીસ ૫ મહિનાની ગર્ભવતી હતી. બિલ્કીસ પર લોકોએ સામૂહિક બળાત્કાર(Gang-raped) ગુજાર્યો હતો અને પરિવારના ૭ સભ્યોની હત્યા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે તે સમયે ગોધરામાં(Godhra) કાર સેવકોને ટ્રેનમાં(Car servants in train) સળગાવી દેવામાં આવ્યા હતા, જે બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા, જે દરમિયાન બિલ્કીસ બાનો સાથે આ ઘટના બની હતી

Kalyan Teacher Murder Case મિલકત પચાવી પાડવાના મોહમાં શિક્ષિકાની નિર્મમ હત્યા, વસિયતનામા પર બળજબરીથી સહીઓ કરાવી..
Kalyan Youth Murder કલ્યાણમાં ૨૮ વર્ષીય યુવકની ૧૬ ઘા ઝીંકી હત્યા, ક્રાઇમ બ્રાન્ચે ૩૬ કલાકમાં ૩ આરોપીઓને દબોચ્યા
Thane Youth Murder લોજમાં ચારિત્ર્ય પર શંકા રાખી યુવતીની શ્વાસ રુંધીને હત્યા, પોલીસે માત્ર ૨ કલાકમાં આરોપી પ્રેમીને દબોચ્યો
Farmer Murder શહાપુરમાં પત્નીના પ્રેમીએ કુહાડીના ઘા ઝીંકી ખેડૂતની કરી નિર્મમ હત્યા, મૃતદેહ ખાઈમાં ફેંક્યો
Exit mobile version